SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ સુખના સરળ સાધને ] ૨૯ યુતિ કહે છે કે આ આત્મા તર્કથી કે વાદવિવાદથી કે કશાથી સમજાતે નથી, પણ એ આત્માને જેના ઉપર અનુગ્રહ થાય છે, તેના જ અંતઃકરણમાં તે પિતાને પ્રકાશ પ્રકટ કરે છે. આત્માને અનુગ્રહ પ્રાપ્ત કરવા, આત્માવલંબી થાઓ. આત્મામાં જ શ્રદ્ધા રાખો. આત્માને જ આશ્રય લો. વિષયોની આસક્તિ ત્યજી, વિષયનાં ચિંતન ત્યજી આત્મામાં જ આસક્તિ ધરે; આત્માનું જ ચિંતન કરે. તમારી યથાર્થ ભક્તિ થતાં, આત્મા પિતાના યથાર્થ સ્વરૂપને પ્રકાશ તમારા મનમાં પ્રકટાવશે. પર્વતના શિખર ઉપર પહોંચવાનું કે રસ્તા પ્રાપ્ત થતું હોય તે લાંબે રસ્તો લેવાનું કયો બુદ્ધિમાન પુરૂ પસંદ કરશે? અને એમ છતાં જ્ઞાનગિરિના શિખરે પહોંચવા માટે મનુ કે માર્ગ લેવાને બદલે લાંબો માર્ગ જ લે છે. તેમનું આત્મસ્વરૂપ જ્ઞાનને અખૂટ ઝરે છતાં, તેઓ તેને અલક્ષ કરી જ્ઞાનને માટે બહાર વલખાં મારે છે. ફલાણ પુરતમાંથી જ્ઞાન થઈ જશે અને ઢીંકણું પુસ્તકમાંથી જ્ઞાન થઈ જશે, એમ માની તેઓ સેંકડો અને હજારે પુસ્તક વાંચે છે. આથી જ્ઞાન થાય છે, પણ તે જ્ઞાન પ્રાપ્ત કરવાને લાંબે માર્ગ છે. પુસ્તકે એ જ્ઞાન સંબંધમાં અન્યના અભિપ્રાય છે, અથવા સત્ય શોધવામાં અન્યને જે જે અનુભવ થયા હોય છે, તેને એક પ્રકારને વૃત્તાંત છે. તમારે જે જ્ઞાન જોઈએ છે, તે તમારા આત્મામાંથી પ્રકાશ પામતું અનુભવજ્ઞાન જોઈએ છે, અને તે ઘણાં પુસ્તક વાંચવાથી કદી મળતું નથી. પિતાના આત્મા સાથે સંબંધવાળા થવું, એ જ જ્ઞાન પ્રાપ્ત કરવાને ટૂંક માર્ગ છે. તેથી ઘણું પુસ્તક વાંચવાં છોડી દે. સારભૂત ડાં પુસ્તકે વાંચે, અધિક મનન કરે, અને એકાંતમાં પિતાના આત્મા સાથે સંબંધવાળા થઈને સત્યના પ્રકાશને જુઓ. બહાર દોડવાના અભ્યાસવાળી તમારી વૃત્તિ એકાંતમાં સ્થિર થઈ આત્માના સંબંધને તત્કાળ ન સેવે, અને પ્રકાશને અનુભવ ન કરે, એ સ્વાભાવિક છે. ઉત્સાહપૂર્વક પ્રયત્ન કર્તવ્ય છે. સવર જ્ઞાન થવાની આશાથી, આત્મામાં એકાગ્ર થવાના સફળ પ્રયત્નને પરિત્યજી તમે બહારથી જ્ઞાન મેળવવાના પ્રયત્ન કરશે તે તેમાં તમે નિરાશ જ થવાના; કારણ કે બહારથી જે જે જ્ઞાન પ્રાપ્ત થાય છે, તે ઇન્દ્રિયોના સંબંધથી થાય છે; અને ઇન્દ્રિયોના સંબંધથી થયેલું જ્ઞાન, અતીન્દ્રિય અર્થાત દિવ્ય જ્ઞાન હેતું નથી.
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy