SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ [વિશ્વવંદવિચારરત્નાકર વિચારથી આ વિષય તમને ન સમજાય તે વ્યાકુળ થવાનું પ્રજન નથી. તર્ક કરીને અથવા ચર્ચા કરીને આ વિષય સમજવા પ્રયત્ન કરવો પણ નિરર્થક છે. આ વિષય આમ જ છે, એમ શ્રદ્ધાથી માનીને કર્તવ્યમાં જોડાવું, એ જ અધિક યોગ્ય છે. માનતાં અને કર્તવ્ય સાધતાં, આજે જે અગમ્ય છે, તે તમારા આત્માને કઈ ક્ષણે અનુગ્રહ થતાં, વિદ્યુતના ચમકારાની પેઠે તમારી બુદ્ધિમાં સ્પષ્ટ થશે. જ્ઞાન મેળવવા પ્રયત્ન કરનાર પુના બે ભેદ જોવામાં આવે છે. કેટલાક મનુષ્ય, પિતાની બુદ્ધિ જે વાતને સ્વીકાર કરે નહિ, તે વાતને ગમે તે આત પુરુષ કહે તે પણ કદી માનતા નથી. પ્રમાણેથી બુદ્ધિ સ્વીકારે તેટલું જ તેઓ ગ્રહણ કરે છે. બીજા પ્રકારના મનુષ્ય, બાળકના જેવા અંતઃકરણવાળા હોય છે. જેમ બાળક માબાપ જે કહે તે સર્વ ખરું જ માને છે, તેમ આ બીજા પ્રકારના મનુષ્યો આપ્ત જનનાં વચનને સર્વ પ્રકારે ખરાં માને છે, અને તદનુસાર વર્તન કરે છે. વર્તન કરતાં ખરું શું છે તે તેમને સમય જતાં આપઆપ જણાય છે. બંને પ્રકારના મનુષ્ય જ્ઞાનના અધિકારી છે. બંનેને પરિણામે જ્ઞાન થયા વિના રહેતું નથી. બંનેમાંથી કઈ પણ નિંદવા યોગ્ય નથી. આધ્યાત્મિક વિષયોમાં ખાતરી થયા પછી જ જો તમે પ્રયત્ન કરવાને વિચાર રાખ્યો હોય, તે સ્પષ્ટ કહીએ છીએ કે આધ્યાત્મિક વિષયો સ્વસંવેદ્ય એટલે પ્રત્યેક મનુષ્યને પિતાના પ્રયત્નથી પિતાને જ સમજાય એવા હોય છે. ખાતરી થયા પછી પ્રયત્ન કરવાનો હોતો નથી. પ્રયત્ન કરીને જ ખાતરી કરવાની હોય છે. આથી ખાતરી પછી પ્રયત્ન કરવા ઉપર મુલતવી રાખવું એ ઊંટને લબડતે હઠ થોડી વાર પછી પડશે, અને તે ખાઈને હું મારી સુધા નિવૃત્ત કરીશ એવી આશાથી ઊંટની પાછળ પાછળ ભટકનાર શિયાળના વર્તન જેવું છે. ઊંટને હઠ પડતું નથી, અને શિયાળને ભક્ષ મળતું નથી, પ્રયત્નવિના કેવળ વાતથી ખાતરી થતી નથી, અને ખાતરી થયા વિના પ્રયત્ન થતું નથી. તમારી નિત્યની નિષ્ફળતા, એક જન્મે નહિ તે બે જન્મ, બે નહિ તે ચાર જન્મે પણ તમારી ભૂલ તમને દર્શાવે છે, અને પછી તમે શ્રદ્ધાથી પ્રયત્ન આરંભે છે. સશાસ્ત્રો કહે છે કે અધ્યાત્મવિદ્યાને પ્રમેય અર્થાત વિવિધ પ્રમાણે વડે જેની સિદ્ધિ કરવાની છે તે વસ્તુ અર્થાત બ્રહ્મતત્ત્વ મનને કે બુદ્ધિને વિષય નથી. આમ છે તે પછી તમારા મનબુદ્ધિ, જેને જાણવાનું તેમનામાં સામર્થ્ય નથી તેને વિવિધ તર્કોવડે શી રીતે નિશ્ચય કરી શકશે?
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy