SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ સુખનાં સરળ સાધના ] ૨૭ વિષયામાં તેમને આસક્તિ હાય છે, ત્યાંસુધી અતીન્દ્રિય જ્ઞાન થતું નથી. ઇન્દ્રિયા વિષયોના સબંધ છોડે છે, અને જે ખળવડે તેમને વિયા સાથે સબંધ કરવાનું સામર્થ્ય મળ્યું છે, તે ખળને જાણવા માટે પાછી વળી અંતરમાં એકાગ્ર થાય છે, ત્યારે તે અતીન્દ્રિય જ્ઞાનને મનમાં પ્રકટ થવાની અનુકૂળતા રચી આપે છે. ઇન્દ્રિયાના વ્યાપારના નિરોધ, એ અતીન્દ્રિય જ્ઞાનનું સાધન છે. જેઆ વિષયોને જ રાત્રિઢિવસ સેવવાવાળા હાય છે, તેમાં જ્ઞાનની કળા ઘણી જ ઝાંખી હોય છે. વ્યાવહારિક ઊંચું જ્ઞાન પણ વિષયામાં અત્યંત આસક્તિવાળા મનુષ્યોને પ્રાપ્ત થયેલુ. જોવામાં આવતુ નથી. નવી નવી શેાધા તથા કળાઓ, વિષયામાં ગુલતાન રહેનાર મનુષ્યો શોધી કાઢતા નથી. ઇન્દ્રિયોના વિષ્યાથી જે, જેટલે અંશે ઉપરામ થાય છે, અને વિષયોથી ઉપરામ કરેલી ઇન્દ્રિયો તથા મનને જેટલે અંશે, જ્ઞાન જ્યાંથી ઉદ્ભવે છે, તે મૂળ કારણમાં જોડે છે, તેટલે અ ંશે તે ઊંચા ઊંચા જ્ઞાને પ્રાપ્ત કરે છે. પરમેશ્વર જ્ઞાનસ્વરૂપ છે, અને પરમેશ્વરના અને આપણા આત્માના અખંડ સબંધ છે, તેથી યથા જ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છનારે ઇન્દ્રિયદ્રારા મનના અને વિષયાના સંબંધ ન સેવતાં, મન અને આત્માના સંબધ સેવા, એ જ ચેાગ્ય છે; અને ઇન્દ્રિયા જ્યાંસુધી વિષયામાં આસક્તિવાળી હોય છે ત્યાંસુધી મન આત્માના સંબંધને સેવતું નથી માટે, યથાર્થ જ્ઞાન થવામાં, વિષયાપ્રતિ વિરાગ, એ પ્રથમ અને અનિવાર્ય સાધન છે. આત્મામાંથી જ સર્વ જ્ઞાન ઉદ્ભવે છે, તેથી મનુષ્યોએ યથા જ્ઞાનમાટે મન તથા ઇન્દ્રિયો ઉપર આધાર રાખનાર ન થવું જોઈએ, પણ આત્માઉપર આધાર રાખનારા થતાં શીખવું જોઈ એ. મન તથા ઇન્દ્રિયાઉપર આધાર રાખનાર થવાથી આત્મામાંથી ઊઠતાં જ્ઞાનનાં સ્ફુરણા તેનામાં ખાઈ ગયાં છે, અથવા ઉઠે છે, તો તેને તે જાણી શકતા નથી. વિષયાની આસક્તિ જેમણે ત્યજી હોય છે, તેવા દૈવી પ્રતિભાવાળા પુરુષોનાં અંતઃકરણમાં જ અંતરાત્મામાંથી ઊઠતાં જ્ઞાનનાં સ્ફુરણાનું સામ્રાજ્ય વતુ હાય છે. જેમ વસ્તુ ઉઠાવી લેતાં તેની છાયા રહેતી નથી, તેમ અંતરાત્માના પ્રકાશવડે જ મન પ્રકાશે છે. અંતરાત્માના પ્રકાશવિના મન કેવળ જડ છે, અર્થાત્ મનુષ્યનું સર્વાંસ્વ અંતરાત્મા જ છે.
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy