SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ [શ્રી વિશ્વવંદ્યવિચારરત્નાકર સર્વ વસ્તુ. સર્વ સ્થાન અને સમયના વિભાગો તેમના વડે જ છે. તે જ સર્વના મૂળ કારણ છે. પરમાત્મા ચૈતન્યસ્વરૂપ છે. ચૈતન્યને આપણે આપણાં આ ચર્મચક્ષુવડે જોઈ શકતા નથી, પરંતુ જ્યારે તે માયાના એટલે જડ વસ્તુના સંબંધમાં આવે છે, ત્યારે આપણે તેમને જોઈ શકીએ છીએ. જેમ અગ્નિને અર્થાત ઉષ્ણતાને આપણે છૂટી જોઈ શકતા નથી, પરંતુ જ્યારે તે લાકડાના સંબંધમાં આવે છે ત્યારે આપણે તેને જોઈ શકીએ છીએ, તેમ ચૈતન્ય માયાના સંબંધમાં આવે છે ત્યારે આપણી ઈદિવડે તેને આપણે અનુભવ કરી શકીએ છીએ. જેમ અગ્નિ કોઈ પણ દ્વારવડે પ્રકટ થઈ શકે છે, તેમ ચૈતન્યને, કોઈ દ્વાર હોય છે તે જ અનુભવ થાય છે. જ્યારે આપણે કઈ મનુષ્યને જોઈએ છીએ ત્યારે આપણે તે મનુષ્યમાં હું પણું ધારનાર અને વિચાર વગેરે કરનારને જોતા નથી, પણ તેના શરીરને જ માત્ર જોઈએ છીએ. શરીરરૂપ દ્વારવડે જ ચૈતન્ય અનુભવમાં આવે છે. જેમ વરાળ કેઈ યંત્રમાં પ્રવેશે છે ત્યારે જ આપણને તેના અસાધારણ અદ્દભુત સામર્થ્યને અનુભવ થાય છે, તેમ શરીરરૂપ ઠારવડે જ પરમાત્માના અસાધારણ અભુત સામર્થ્યને અનુભવ થાય છે. વરાળમાં ગમે તેટલું બળ છતાં પણ જે યંત્ર દોષવાળું અથવા સાધારણ હોય છે તે આપણને વરાળના સામર્થ્યને અનુભવ થતું નથી, તેમ પરમાત્મા અનંત બળ તથા ઐશ્વર્યવાળા છતાં પણ, જે શરીરરૂપ જડ પદાર્થના સંબંધમાં તે હોય છે, તે શરીરરૂપ જડ પદાર્થ જોઈએ તેવી યોગ્યતાવાળો નથી હતે તે તેમાં પરમાત્માનું અનંત બળ તથા એશ્વર્ય વગેરે આપણને અનુભવમાં આવતાં નથી. આમ હવાથી પરમાત્મા એક માટીના ઢેફામાં હોવા છતાં પણ એ માટીના ટેકારૂપ શરીર પરમાત્માના અનંત બળને પ્રક્ટ થવા યોગ્ય ન હોવાથી આપણને એ માટીના ઢેફામાં માટીપણવિના વિશેષ કંઈ જણાતું નથી. એ જ પ્રમાણે વૃક્ષમાં પરમાત્મા હોવા છતાં, એક કીડામાં પરમાત્મા હોવા છતાં અને એક પશુમાં પરમાત્મા હોવા છતાં તે તે શરીરે પરમાત્માના સામર્થ્યને પ્રકટ થવા 5 દ્વારરૂપ ન હોવાથી તેમાં પરમાત્માના બહુ જ મર્યાદવાળા સામર્થ્યને આપણને અનુભવ થાય છે. મનુષ્યશરીર અધિક યોગ્યતાવાળું હોવાથી તે શરીરમાં પરમાત્માને આપણને વિશેષ અનુભવ થાય છે, અને કેઈ મહાપુરુષનું શરીર સર્વ પ્રકારની યોગ્યતાવાળું હોવાથી પરમાત્માના અસંખ્ય કળાવાળા સામર્થ્યને આપણને તેમાં અનુભવ થાય છે.
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy