________________
સુખનાં સરળ સાધને]
૧૧ પરમાત્મા એક છે, તે સર્વ ભૂતમાં એટલે ઉત્પન્ન થયેલી વસ્તુઓમાં ગુપ્ત રહે છે, તે સર્વ સ્થળે વ્યાપી રહેલા છે, તથા તે ઉત્પન્ન થયેલી સર્વ વસ્તુઓના અંતરાત્મારૂપ છે.
આમ છે તે પછી આજે જેમ ઘણાં અપવ મતિનાં મનુ પરમેશ્વરને કલાસમાં કે વિષ્ણુલોકમાં કે મંદિરમાં કે કોઈ તીર્થમાં કે આકાશમાં કે એવે કોઈ એક જ ઠેકાણે રહેલા માને છે, તેવા તે નથી; અથવા તેમનાં સબસે રૂપ કે હજાર રૂપ કે તેત્રીશ કોડ રૂ૫ માને છે, તેવા પણ તે નથી; પણ તે એક છે, અને આ સષ્ટિમાં નજરે પડતી સર્વ વસ્તુઓમાં–જીવવાળી અને જડ એવી સર્વ વસ્તુઓમાં-તે છે.
વળી પરમાત્માને શ્રુતિ સાક્ષર રેતા જેવો નિશ્ચા
સાતી, ચૈતન્યસ્વરૂપ, કેવલ તથા નિર્ગુણ કહી વણે છે. આમ હોવાથી ઘણા જેમ તેમને બે હાથવાળા, ચાર હાથવાળા, આઠ હાથવાળા, કે ગમે તેવા આકારવાળા જ માત્ર માને છે, તેવા પણ તે નથી. તે ચૈતન્યસ્વરૂપ અર્થાત પ્રાણીમાત્રને ચેતના આપનાર બળરૂપ છે. તે ઉત્પન્ન થયેલી સઘળી વસ્તુઓના મૂળ કારણરૂપ છે; અને તેથી કરીને માટીરૂપ કારણમાંથી ઉત્પન્ન થયેલે ઘડો જેમ પિતાનું કારણ જે માટી તેનાથી જુદો નથી, તેમ પરમાત્મારૂપ કારણમાંથી ઉત્પન્ન થયેલું આ આખું જગત્ પરમાત્માથી જુદું નથી. પરમાત્મા પ્રત્યેક વસ્તુના અંતરાત્મારૂપ રહીને તેની ઉત્પત્તિ, સ્થિતિ તથા નાશને કરે છે. જીવતી અથવા જડ જે જે વસ્તુઓ આ જગતમાં જણાય છે તે સર્વ તેમના અણુઅણુમાં ગૂઢ તથા અંતરાત્મારૂપે રહેલા આ પરમાત્માવડે જ જણાય છે.
પરમેશ્વર એ કોઈ એક જ સ્થાનમાં આકાર ધરીને રહેલી ચૈતન્યમય, જ્ઞાનમય, સુખમય કે સામર્થ્યમય વ્યકિત નથી. પરમેશ્વર એ આપણાં ચર્મચક્ષુએ ન જણાય એવી, તથા સ્પર્શ ન કરી શકાય એવી સર્વવ્યાપી ચિતન્યમય કંઈક સત્ય વસ્તુ છે. તે પૂર્ણ પ્રેમમય, પૂર્ણ જ્ઞાનમય તથા અનંત સામર્થ્યમય છે. સંપૂર્ણ સુખ, સંપૂર્ણ જ્ઞાન, સંપૂર્ણ સામર્થ્ય, અને સંપૂર્ણ સત્ય જે એકમાં એકત્ર થઈને રહેલાં છે તે પરમાત્મા, પરમતત્વ અથવા પરમેશ્વર છે.
આ સર્વ જેમાં એકત્ર થઈને રહે છે, એવી એક જ વસ્તુ છે, અને તે પરમાત્મા છે. તે સર્વત્ર વ્યાપી રહેલા છે. એવી એક પણ વસ્તુ નથી, એવું એક પણ સ્થાન નથી, એવો એક પણ સમય નથી જ્યાં તે ન હોય. કારણ કે