________________
સુખનાં સરળ સાધના ]
૧૩
કૃષ્ણ, રામ, બુદ્ધ, ચૈતન્ય, જરથુષ્ટ્ર, મહમદ, ખ્રિસ્ત વગેરે ઈશ્વરાવતાર શાથી મનાયા હતા, અને લાખા મનુષ્યો આજે તેમને શાથી પૂજે છે, તેનુ કારણ સાધારણ મુદ્ધિવાળા મનુષ્યને પશુ હવે સ્પષ્ટ થયા વિના રહે તેમ નથી. કૃષ્ણ, રામ વગેરેનાં શરીર પરમાત્માના અનુભવ થાય એવી યાગ્યતાવાળાં હોવાથી, તેમના શરીરમાં પરમાત્માનું સામર્થ્ય વગેરે, જોનારાને અનુભવમાં આવ્યું હતું, અને તેથી, જેમ વરાળમાં બળને જાણનાર કાઈ યંત્રને ખરીદનાર, ઊના પાણીના ઊકળતા ઉનામણામાંથી વરાળ નીકળતાં છતાં, ઉનામણાને હજારો રૂપૈયા આપીને ખરીદતો નથી, પણ વરાળનું બળ જેમાં એકત્ર થઈ કાર્યંને સાધી શકતુ હાય તેવા યત્રને જ ખરીદે છે, તેમ પથ્થર, ઝાડ, ધૃતરાં, બિલાડાં સર્વાંમાં પરમાત્મા છતાં, તેમાં પરમાત્માનો અનુભવ થવા જેવી ચે!ગ્યતા ન હેાવાથી બુદ્ધિમાન મનુષ્યોએ તેમને પૂજવા યોગ્ય ગણ્યાં નથી, પણ રામકૃષ્ણ વગેરેને જ પૂજવા તથા સેવવા યાગ્ય ગણ્યા છે.
પરમેશ્વર પ્રેમસ્વરૂપ છે. સાસ્ત્ર બ્રહ્મનાં ‘ અસ્તિ ’ (ૐ), ‘ભાતિ’ (પ્રકાશે છે ), તથા ‘ પ્રિય ' એવાં જે ત્રણ લક્ષણે વણે છે, તેમાંનું ‘ પ્રિય ’ લક્ષણ તે આ પ્રેમ છે. આ પ્રેમનું ‘ આનંદ' અથવા ‘સુખ’ એ શબ્દોવડે પણ ઘણે સ્થળે વર્ણન કરેલું છે. એ જ પ્રમાણે ‘ અસ્તિ'નું ‘સત્ ' શબ્દવડે તથા ‘ભાતિ’તું ‘ચિત્’ એટલે જ્ઞાન શબ્દવડે વર્ણન કરેલું છે. પ્રેમને અથવા આનદને નેવવડે આપણે જોઈ શકતા નથી, અથવા તે કેવા હશે, એ વિષે આપણે કલ્પના કરી શકતા નથી. જ્યારે તે કૈાઈ શરીરમાં પ્રકટ થાય છે ત્યારે જ આપણે તે શું છે, અથવા કા છે, તે સમજી શકીએ છીએ. વિશ્વમાં
જ્યાં જ્યાં પ્રેમ અથવા સુખ જણાય છે, તે સપરમેશ્વરના જ ધમ છે. પતિ-પત્નીને પ્રેમ, માતા-પિતા તથા પુત્ર વચ્ચે પ્રેમ, મિત્રોના પરસ્પરના પ્રેમ, એ સર્વ પૂર્ણ પ્રેમસ્વરૂપ પરમેશ્વરના અંશ છે, તે પ્રેમના અશે તે તે મનુષ્યના શરીરદ્વારા પ્રત્યક્ષ થયા છે. માતાના હૃદયમાં પોતાના બાળકપ્રતિ પ્રકાશને પામતે અસાધારણ પ્રેમ, એ પ્રેમસ્વરૂપ પરમાત્મા જ છે, પરંતુ માતામાં, તે પ્રેમ માતાના હૃદયદ્રારા વધારે ચઢતી કળામાં પ્રકટ થયો હાય છે. ભક્તિના હૃદયમાં પોતાના ઉપાસ્ય દેવપ્રતિની નિમ`ળ ભક્તિ, એ તે પ્રેમની તેથી પણ વધારે ચઢતી કળા છે; અને ચરઅચર સČમાં જેમને અસાધારણ વિશુદ્ધ પ્રેમ પ્રકટ થયા છે, એવા સર્વાત્મદર્શી બ્રહ્મીભૂત મહાત્મા પુરુષોનાં હૃદયમાં વિરાજતો પ્રેમ, એ પ્રેમની શ્મા વિશ્વમાં સર્વેîત્કૃષ્ટ કળા છે.