SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારરત્નરાશિ ] ૧૨૯ ૨૨૧. વિચારના અને વનના ભિન્ન ભિન્ન પ્રદેશોમાં દ્યોતનના સદુપયોગ કરવાની ઉપર જે સૂચના કરવામાં આવી છે તેથી એવા ભાવ - ગ્રહણ કરવાને નથી કે વ્યાખા દિવસ અમુક ગાઢવી રાખેલાં વાક્યો આપણે મનમાં તથા મુખથી ખેલ્યા કરવાં. વસ્તુતઃ પ્રત્યેક ક્ષણે જે કઈ ક્રિયા આપણે કરીએ છીએ, જે કંઈ રાબ્દ આપણે એલીએ છીએ, અને જે કંઈ વિચાર આપણે કરીએ છીએ, તે દ્યોતન છે. જે કાંઈ આપણે કરીએ છીએ, ખોલીએ છીએ અથવા વિચારીએ છીએ તે પ્રત્યેક ક્રિયા, શબ્દ, અને વિચાર આપણા પોતાના મનમાં, અથવા જેમના સંબંધમાં આપણુ આવીએ છીએ તેમના મનમાં તેજ જાતના ગુણને ઉત્પન્ન કરે છે. હવે પ્રશ્ન એ છે કે શુ' ઉત્પન્ન કરવાની આપણી ઇચ્છા છે ? સ’સારમાં જે દુઃખા અને લહેા નિત્ય આપણે જોઈએ છીએ તેમની વૃદ્ધિ કરવાની અને તેમને સ્થિર રાખવાની જો આપણી ચ્છા હોય તે મન, વાણી તથા શરીરના આપણે એવા વ્યાપારા કરવા જોઈએ કે જેથી તે દુઃખાની વૃદ્ધિ થાય, એથી ઊલટુ સંસારમાંથી દુઃખાને ઓછાં કરી સુખને ઉત્પન્ન કરવાની, તેને સ્થિર રાખવાની, તથા તેની વૃદ્ધિ કરવાની જે આપણી ઈચ્છા હોય તેા મન, વાણી, તથા શરીરથી આપણે એવા વ્યાપાર કરવા જોઈએ કે જેથી દુ:ખો ઓછાં થાય, અને સુખની વૃદ્ધિ થાય. જેવા આપણે વિચાર કરીએ છીએ, જેવી આપણે વાણી વદીએ છીએ અને જેવી આપણે ક્રિયા કરીએ છીએ, તે દિશામાં જ આપણી ગતિ થાય છે. અને પ્રત્યેક સદ્વિવેકી મનુષ્યની ા સુખપ્રતિ જ ગમન કરવાની હાવાથી આપણે મનમાં, વાણીમાં તથા વનમાં સુખનું જ દ્યોતન કરવુ જોઈ એ. ૨૨૨. હું સત્સ્વરૂપ છુ, ચિત્સ્વરૂપ છુ, અને આનંદસ્વરૂપ છું, એવા વિચારા ઘણાં વર્ષ સુધી તમે અખંડ સેવ્યા કરો તો તમે શું ધારો છે કે કેવા પરિણામ પાવશે? શુ તમે એમ ધારા છે કે તમે દિવસે દિવસે અસત્, અન્ન, અને દુઃખી થતા જશે ? શું તમે એમ ધારા છે કે આવું ચિંતન કરવાથી દિવસે દિવસે તમે અધિક અને અધિક ભ્રષ્ટ થતા જશો? ઉલટુ શાસ્ત્રથી અને અનુભવથી પણ તમને નિશ્ચય થયા છે કે આવા અખંડ આત્મદ્યોતનથી મનુષ્ય ક્રમે ક્રમે જીવત્વથી છૂટીને બ્રહ્મત્વને પ્રાપ્ત થતા જાય છે. જેવા વિચારા કરવાની આપણને ટેવ પડી જાય છે, તે વિચારાના સ્વરૂપપ્રમાણે જ કાં તે આપણે ઊંચે ચઢીએ છીએ અથવા કાં તેા નીચે પછડાઈએ છીએ. સામાન્ય પ્રકારના વિચાર। કર્યાં કરેા, અને તમે સામાન્ય છે, એવુ તમારા પોતાને માટે ભાન કર્યાં કરો, ૧૭
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy