SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ [ શ્રી વિશ્વવંદવિચારરત્નાકર અને તમે તમને તેવા થયેલા અલ્પ સમયમાં જોશે; તમારી મુખમુદ્રા હલકા પ્રકારની થવા માંડશે, તમારાં કૃમાં ધીરે ધીરે લઘુતા આવતી જશે, તમારાં નેત્રમાંથી, વાણીમાંથી, વર્તનમાંથી સર્વમાંથી પ્રતાપ અને પ્રૌઢતા ઓછાં થવા માંડશે, અને તમે એક સામાન્ય પ્રકારના મનુષ્ય થઈને રહેશે. એથી ઉલટું તમારી મહત્તાના વિચાર કરવા માંડે, અને તમારી મહત્તાનું તમારા અંતરમાં ભાન કરો, અને અલ્પ સમયમાં જગતમાં તમે ગુણવાળા, પ્રતાપવાળા, અને મહત્તાવાળા પુષતરીકે પ્રસિદ્ધ થશે. તમારા મનનાં સઘળાં વલણે ઉચ્ચતાપ્રતિ વહેવા માંડશે; તમે અધિક અને અધિક સામર્થ્યયુક્ત મહત્તાને અને શ્રેષ્ઠતાને ઈચ્છવા માંડશે અને તમારા આખા શરીરમાં તમને મહત્તાનું દર્શન થવા માંડશે. ૨૨૩. જે મનુષ્ય ઉચ્ચ વિચારેને નિરંતર કરે છે, અને ઉચ્ચ જીવનનું ભાન કરવાને નિરંતર પ્રયત્ન સેવે છે, તેની આકૃતિ અથવા બાહ્ય સ્વરૂપે સામાન્ય મનુષ્યના જેવું હોતું નથી. કદાચ તેની મુખમુદ્રા મેહ ઉપજાવે એવી ન પણ હોય તથાપિ તેના મુખઉપર પ્રૌઢતા રમી રહી હોય છે, તેના શરીરના હલનચલન વગેરે વ્યાપારમાં જેનારને ઉચ્ચતાનું ભાન થાય છે, અને તે જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં ઉચ્ચ પુરુષતરીકે નિરાળ પડે છે. તે નિરંતર અધિક અને અધિક મહત્તાને અને સામર્થ્યને પ્રાપ્ત કરતે રહે છે. તેનામાં અમુક ગુણો સ્વભાવસિદ્ધ છે તેથી આમ થાય છે, એમ કંઈ નથી, પરંતુ ઉચ્ચ અને અધિક ઉચ્ચ વિચારે કરવાને તેણે પિતાના મનને અભ્યાસ પાડ્યો છે, તેથી આમ થાય છે. વિચારની ઉચ્ચ સ્થિતિમાં પિતાના મનને રમાડ્યા કરવાનો પ્રયત્ન કરવાથી, પિતાનામાં જે અત્યંત ઉચ્ચ અને સર્વોત્કૃષ્ટ છે, તેને તે બહાર આણીને ક્રિયાશીલ કરે છે, અને તેથી કરીને તેનું શરીર, મન તથા વર્તન વધારે પૌઢ અને વધારે પ્રતાપવાળું થતું જાય છે. તેનામાં ઉત્કૃષ્ટતા દિવસે દિવસે અધિક પ્રમાણમાં આવતી જાય છે, કારણ કે ઉત્કૃષ્ટતાને તેણે પિતાના ધ્યેયરૂપે લીધેલી છે, અને ધ્યાતા ધ્યેયરૂપે થાય છે, અર્થાત જેનું મનુષ્ય ધ્યાન કરે છે, તેના જેવો જ તે થાય છે. એ સિદ્ધાંત હેવાથી તે અંતર્બહિર ઉત્કૃષ્ટ થઈ રહે છે. ૨૨૪. અંતરમાં જે પ્રકારનું મનુષ્ય ભાન કરે છે, તે પ્રકારના વિચારે તેને આવ્યા કરે છે. અમુક પ્રકારના વિચાર કરવાને માટે આપણે તે પ્રકારનું અંતરમાં ભાન કરવું જોઈએ. જે સ્થિતિઓનું આપણે અંતરમાં વારંવાર અને ઊંડું ભાન કરીએ છીએ, તે સ્થિતિ પ્રમાણેના જ વિચારો કરવાની આપણને ટેવ
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy