SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ [ શ્રીવિશ્વવંદ્યવિચારરત્નાકર હોય તે તે પ્રસંગમાં જે શુભ અંશ રહેલો હોય તેને શોધી કાઢી તે પ્રતિ તેનું લક્ષ ખેંચજે. વધારે પ્રેમ દર્શાવનારા, વધારે મમતા દર્શાવનારા અને વધારે સમભાવને દર્શાવનારા થજો, અને ખોટો ડોળ કરશો નહિ, પણ અંતઃકરણમાંથી જ પ્રેમ, મમતા તથા સમભાવને પ્રકટાવજે. શાંત થજે, અને અંતકરણમાં પ્રસન્નતાને પ્રકટાવજે, અને જાણે કશું જ બન્યું ન હોય તેમ તમારું નિત્યનું કામ કર્યા કરજે. જે કંઈ બોલે તે બહુ વિચારપૂર્વક બોલજે, અને અન્યના અંતઃકરણને પ્રસન્નતા ઉપજાવનાર શબ્દવિના એક પણ શબ્દને મુખમાંથી બહાર કાઢશે નહિ. અલ્પ સમયમાં ઘેરાયેલું વાદળ વીખરાઈ જશે; પણ કદાચ ન વીખરાય તે પૈર્ય ધરજે. ઘેડ સમય હૈયે ધરવાથી તમને કંઈ હાનિ થવાની નથી. પરિણામે તમારે જ વિજય થવાને છે. ૨૨૦. વ્યવહારમાં અંતઃકરણમાં ગ્લાનિ થવાના અનેક પ્રસંગે આવે છે. આ પ્રસંગે બીજાનું એલવું જેમ આપણને ચતું નથી, તેમ આપણને પિતાને પણ કોઈની સાથે બોલવું ચતું નથી. આવી ગ્લાનિને અંત:કરણમાં કદી પણ પ્રકટવા દેશો નહિ. કદાચ તે પ્રકટવાનો સંભવ આવે તે તત્કાળ પ્રસન્નતાના વિચાર કરજે, અને અન્યને પ્રસન્નતા થાય એવા શબ્દો સાવધાનતા રાખીને બોલજો. આવી સાવધાનતા ન રાખવાથી ઘણુ મનુ દીર્ઘ કાળના સ્નેહને એક ક્ષણમાં તેડી નાંખે છે. અંતઃકરણની વ્યગ્રતાને લીધે તેઓ ન બોલવાનાં વચન બોલી બેસે છે. પતિ સ્ત્રીને કહે છે, “જા અહીંથી તારું કાળું કર; તાસમાં મને ન બતાવીશ.” સ્ત્રી પતિને કહે છે, “તમે હમણાં મારું નામ ન દેશે.” અહીં દુઃખથી બળી જઈએ છીએ તેમાં દાઝયા ઉપર ડામ દેવાને તમારે આ શો સ્વભાવ પડ્યો છે ! જાઓ, તમે તમારું કામ કરો, અને મને મારે પડી રહેવા દો. આવાં કઠેર વચને પ્રતિકૂળ ઘટનને પ્રકટાવ્યા વિના રહેતાં નથી. સ્ત્રીએ પતિઉપર તેમ પતિએ સ્ત્રી ઉપર અંતઃકરણમાં એક ક્ષણ પણ અભાવને ન ઊપજવા દેવો જોઈએ. આવો અભાવ કઈ દિવસ ન ઊપજે માટે તેમણે આત્મદ્યોતનવડે પિતાના પ્રેમને નિરંતર બળવાન કર્યા કરવો જોઈએ. સ્ત્રીઓ દિવસમાં અનેક વાર પિતાના મન સાથે બોલવું જોઈએ કે “મારા પતિ અને પ્રતિક્ષણ પ્રાણ કરતાં પણ અધિક પ્રિય થતા જાય છે. તે દિવસે દિવસે અધિક સુસ્વભાવને ધારણ કરતા જાય છે.” પતિએ પણ દિવસમાં અનેક વાર આત્મઘતન કરવું જોઈએ કે મારી પત્ની મને પ્રતિદિન અધિક અને અધિક પ્રિય થતી જાય છે. તેનામાં સગુણે પ્રતિક્ષણ વૃદ્ધિને પામતા જાય છે. આવા અભ્યાસનાં ઉત્તમ ફળ ઉત્પન્ન થયા વિના રહેતાં જ નથી.
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy