SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ શ્રી વિશ્વવંધવિચારરત્નાકર વિચારશક્તિ શુન્ય થઈ જાય છે, ન્યાયબુદ્ધિ અળપાઈ જાય છે, અને મનુષ્ય શાંતિથી વિચાર કરવાને અસમર્થ થાય છે. ક્રોધી મનુષ્ય અવ્યવસ્થા વિચારને ગુલામ છે. જેમાં બીજાઓને નિયમમાં રાખવાના હોય છે, એવી જગાને માટે તે નાલાયક છે, કારણ કે જે પોતાને યોગ્ય નિયમમાં પ્રવર્તાવી શકતા નથી, તે અન્યને શું પ્રવર્તાવી શકે? પ્રધાનની જગામાં ક્રોધી મનુષ્યો હોવાથી ઘણું દેશની યુદ્ધમાં ઊતરવાથી ખુવારી થઈ છે. ક્રોધી સ્વભાવે હજારેનાં ગૃહની શાંતિને વિનાશ કર્યો છે. અંતઃકરણમાં જ્યાં સુધી ક્રોધ હોય છે ત્યાં સુધી તેમાં શાંતિનું સ્વર્ગ કદી પણ પ્રકટતું નથી. તે સુખ, સંપત્તિ, જ્ઞાન વગેરેને નાશ કરે છે, અને નિર્દોષને અપરાધી કરે છે. બુદ્ધિમાનમાં પણ જ્યારે ક્રોધ પ્રકટે છે ત્યારે તે મૂર્ખન જેવાં આચરણ કરે છે. સદાચરણી મનુષ્યમાં જ્યારે તે પ્રકટે છે ત્યારે તે તેની પાસે અનેક દુરાચાર સેવા છે. ભક્તમાં જ્યારે તે પ્રકટે છે ત્યારે તે તેને તેની ભક્તિથી ભ્રષ્ટ કરે છે. ક્રોધ દીર્ઘ કાલના પ્રેમને ક્ષણમાં તેડી નાંખે છે, અને નિરંતર સ્નેહથી સાથે રહેનાર મનુષ્યોને એકએકનાં મુખ પણ કદી ન જુએ, એવી સ્થિતિમાં આણી મૂકે છે. પિતાના મન ઉપર જેને અંકુશ નથી એવો ક્રોધી મનુષ્ય, સિંહ અને વ્યાઘકરતાં પણ વધારે ભયંકર છે. જે ક્રોધને પિતાના અંતરમાં સ્થાન આપે છે તે સઘળાં પ્રકારના વ્યાધિઓને, દેને, અને નિષ્ફળતાને પિતાનામાં પ્રવેશવાનાં દ્વાર ઉઘાડાં મૂકે છે. સ્વલ્પમાં ક્રોધને સેવનાર મનુષ્યના અધ્યાત્મબળની પેઢી દેવાળું કાઢે છે. ૧૯૭. નોકરીમાં તમારે પગાર શા માટે નથી વધતે, તેનું કારણ તમે જાણવા ઇચ્છે છે ? સાંભળે, તેનું કારણ આ છે - તમારા ઉપરીપ્રત્યે તમે પ્રેમરહિત કઠોર લાગણી ધરાવો છો. તમે તેના પ્રતિ પ્રતિકૂળ ભાવને ધરાવો છો, એ વાતની તમારા ઉપરીને ખબર નથી, એવું ક્ષણવાર પણું અનુમાન કરશે નહિ. તમે ઉપરથી “જી હા, જી હા” કરે છે, અને ડાહ્યું ડાહ્યું બેલે છે, પણ તમારા આંતરભાવને તે બરાબર જાણે છે અને અંતઃકરણમાં પ્રતિકૂળ ભાવવાળો માણસ પિતાનું કે પારકાનું કામ સર્વોત્તમ પ્રકારે કરી શકવા અસમર્થ છે, એવી તેને ખાતરી હોય છે. આથી જ તમારો પગાર વધારવાની ભલામણ કરવાની તેને ઇચ્છા થતી નથી. ઉપરથી તે તમારા પ્રત્યે જેવો કડક સ્વભાવવાળો અને જુલમગાર જણાય છે, તેવો જ જે તે તેના હૃદયના ઊંડા ભાગમાં હોત તે તે તેણે ક્યારનું તમને કહી દીધું હોત કે મારા પ્રત્યે અને તમારા કામ પ્રત્યે પ્રેમભાવ દર્શાવતે રહે, નહિ તે બીજે કોઈ સ્થળે
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy