________________
વિચારરત્નરાશિ]
૧૧૯ કરી ખળી લે. પણ તેમ તે નથી કરતો, તેનું કારણ એ છે કે તે હૃદયમાં માયાળુ સ્વભાવને છે. તમારા ઉપરીના દે જોવાનું તમારું કામ નથી. તેટલા માટે તે તમને પગાર આપતું નથી. નેકરીમાં રહીને તેના દો જેવા તેના કરતાં નોકરી છોડી દેવી, એ હજાર દરજજે સારું છે. તમારું કર્તવ્ય તમને મળેલું કામ સર્વોત્તમ રીતે કરવાનું છે. તેને બદલો કેવી રીતે આપ, તેને નિર્ણય કરવાનું કામ તમારા ઉપરીનું છે. તમને મળેલું કામ સર્વોત્તમ રીતે પ્રસન્નતાથી તમે ન કરી શક્તા હો તે તરત તમારે રાજીનામું આપવું સારું છે. ઉપરી અને કામ બંને પ્રતિ પ્રતિકૂલ ભાવ રાખીને વધારે પગાર અને વધારે માનની જો તમે આશા રાખતા હો તે તમારા જેવું મૂર્ખ અન્ય કેઈ નથી. વધારે પગાર મેળવવાનું, અથવા ઉદયને પ્રાપ્ત કરવાનું પ્રથમ પગથિયું, તમારા પિતાના અંતઃકરણને પલટી નાખવું, એ છે. અને જે કંઈ આપણને પ્રાપ્ત થાય તેને પ્રસન્નતાપૂર્વક વધાવી લેવાથી જ અંતઃકરણની સ્થિતિ પલટાય છે. પ્રતિકૂલ ભાવ, એ એક વિષ છે, અને તેને ધરનારને જ તે ચઢીને, તેના ઉદયના સર્વે સંભનું મૃત્યુ કરે છે. પગાર વધવામાં અથવા વ્યવહારમાં ઉદય થવામાં અંતઃકરણના મનભાવ કશું જ કરતા નથી, એવા ગાંડાઈભરેલા વિચારને વશ વર્તશે નહિ. ઉદયને સઘળે આધાર તમારા અંતઃકરણની સ્થિતિ ઉપર જ છે.
૧૯૮. પ્રાણી પદાર્થની સાથે તમે પિતે વિરેને ધરતા બંધ પડે, અને તેઓ તમારી સાથે વિરોધને ધરતાં બંધ પડશે.
વિરોધ અથવા ટૅપને ધરવાને લીધે જ આપણી ઉન્નતિનાં દ્વાર ઊઘડતાં નથી. આપણને ખરાબ ઘર, ખરાબ સ્ત્રી, ખરાબ શરીર, ખરાબ વસ્તુઓ વગેરે જે કંઈ ખરાબ મળ્યું હોય છે, તે પ્રતિ આપણે નિરંતર અણગમો દર્શાવીએ છીએ. આપણને મળેલી આ ખરાબ વસ્તુઓ માટે આપણે નિરંતર અસંતુષ્ટ રહીએ છીએ, અને જેના તેના આગળ અસંતોષના ઉદ્દગાર કાઢીએ છીએ. આપણને પ્રાપ્ત પ્રાણીપદાર્થપ્રતિ આ પ્રકારને વિરોધ અથવા ઠેષ દર્શાવીને આપણે ગર્ભિત રીતે એવું સૂચવીએ છીએ કે વધારે ઉત્તમ વસ્તુઓને માટે આપણે લાયક છતાં કેઈએ બળાત્કારથી આ ખરાબ પ્રાણી પદાર્થો આપણને પધરાવી દીધા છે. હવે વસ્તુતઃ સર્વોત્તમ પ્રાણી પદાર્થો માટે આપણે લાયક છીએ, એમાં કશો જ સંશય નથી, પરંતુ આપણી યોગ્યતા જ્યાં સુધી આપણે બહાર દર્શાવીએ નહિ ત્યાં સુધી આપણને સર્વોત્તમ પદાર્થો ન મળે એ સ્પષ્ટ જ છે. હાલ આપણને જે પદાર્થો મળેલા છે, તે જેટલી યોગ્યતા આપણે બહાર દર્શા