________________
વિચારરત્નરાશિ ]
૧૧e
૧૯૨. નિશાળો, નાટયૂહો, દેવાલયો, સભાઓ, કચેરીઓ, મિલે, આગગાડીઓ, ટ્રામ અને એવી જ સઘળી બંધ જગાઓમાં શરીરના તથા મનના વ્યાધિઓને ઉત્પન્ન કરનારું વાતાવરણ હોય છે. અનેક મનુષ્યો તે સ્થળે એકઠાં થવાથી તેઓના પ્રવાસથી ત્યાંનું વાતાવરણ વિકરી થવાથી શરીરના વ્યાધિઓ થાય છે, તથા તેઓના અવ્યવસ્થા વિચારોથી વિચારનું વાતાવરણ વિકારી થવાથી માનસ વ્યાધિઓ થાય છે. જ્યાં સદ્વિચારે અખંડપણે સેવાતા હોય એવાં સ્થળનું વાતાવરણ જ આરોગ્ય, સુખ, અને કલ્યાણને આપનારું છે. જે સ્થળમાં પ્રધાનપણે સદ્વિચારો જ સેવાયા કરતા હોય છે, તે સ્થળનું વાતાવરણ બ્રહ્મલોકના જેવું જ હોય છે. આવા વાતાવરણમાં પ્રવેશનારને કલ્યાણ જ પ્રાપ્ત થાય છે.
૧૩. ઉઘાડાં સ્થળામાં ભરવામાં આવતી સભાઓમાં ઓછા વિકારને કરનારું વાતાવરણ હોય છે, કારણ કે તે તરત જ વીખરી જાય છે. એથી ઊલટું ઘણું મનુષ્યોને એકઠા થવાનાં બાંધેલાં મકાને, તેમાં ઉત્પન્ન થતા વિચારેને સંચય થવાના પટારા છે, અને જેઓનું અધ્યાત્મબળ જોઈએ તેવું, વૃદ્ધિને પામેલું નથી હોતું, તેવા મનુષ્ય જે આવાં સ્થળોમાં કેટલીક વાર રહે છે, તે તેમને શરીરના કે મનના વ્યાધિઓ થયા વિના રહેતા જ નથી.
૧૯૪. બીજાઓએ જે આપણું અહિત કરેલું આપણે માનતા હોઈએ છીએ, તેનું ચિંતન કરવાને બદલે, તેમણે આપણું જે હિત કર્યું હોય તેનું જ જે આપણે ચિંતન કરીએ, અને જે લક્ષણે આપણું પાડોશીઓમાં આપણને ગમતાં નથી, તેમની વાત કરવાને બદલે, અર્થાત તેમના દેષનું કથન કરવાને બદલે જે આપણે તેમનામાં રહેલા ગુણોનું જ કથન કરીએ તે કેવો પરિણામ આવે ? જે જગતમાં પ્રત્યેક મનુષ્ય આમ કરે તે આ મૃત્યુલોક નરકમાંથી બદલાઈને આજે જ સ્વર્ગ થઈ રહે.
૧૫. આપણા વિચારે બીજાના અંતઃકરણમાં ઠસાવતી વખતે, તેમને તે ન સ્વીકારે માટે, તેના ઉપર ક્રોધ કરે, તેના કરતાં, આપણે હારવું એ વધારે સારું છે.
૧૯૬. દુર્ગુણ અને દુષ્ટાચરણેને જોઈને ક્રોધ કરે, એ યોગ્ય છે, એમ કેટલાક કહે છે, પણ તે ખરું નથી. કારણ કે ક્રોધ જાતે જ દુર્ગુણ હોવાથી ગમે તે કારણથી તેને સેવવામાં આવે તે પણ તે સદ્દગુણ થતું નથી. ક્રોધને વશ થનાર મનુષ્યને મનઉપર સંયમ નથી, એ સહેજ સ્પષ્ટ થાય છે. ક્રોધ પ્રકટતાં