SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ [ શ્રી વિશ્વવંદ્યવિચારરત્નાકર કરણ જ તમને જુદાં જુદાં વિદ્ધ ભાન કરાવે છે. અંતઃકરણને નીચી ભૂમિકાપરથી ઊંચી અને વધારે ઊંચી ભૂમિકામાં લઈ જાઓ; અને આજે જે તમને દુઃખદ અને દેવાળું જણાય છે, તે સુખદ અને નિર્દોષ જણાશે. ૧૮૮. પિતાને માટે જેમ બને તેમ ઊંચામાં ઊંચી કલ્પના કરવાથી અને તે કલ્પનામાં આરૂઢ રહેવાને અખંડ પ્રયત્ન કરવાથી જ મનુષ્ય ઉચ્ચ ભૂમિકામાં આવતો જાય છેઅને આમ હોવાથી જ પરમ કલ્યાણકારક વેદાંતશાસ્ત્ર મનુષ્યોને પિતાના બ્રહ્મસ્વરૂપને નિરંતર વિચાર કરવા પ્રબોધ આપે છે. પિતાને અનધિકાર માની પિતાના બ્રહ્મસ્વરૂપને વિચાર ન કરવો, એ નીચી ભૂમિકામાં સડ્યા કરવા તુલ્ય છે. જેઓ અધિકારની શંકાથી, વસ્તુતઃ પિતે બ્રહ્મસ્વરૂપ છતાં, તેને વિચાર કરવાથી વિમુખ રહે છે, તેઓને અધિકાર આવવાનો સમય, પાસે આવવાને બદલે વેગળા જ જાય છે. ૧૮૯ તમારાં નેત્ર એ ઈશ્વરનાં નેત્ર છે, એમ માન; તમારા કર્ણ એ ઈશ્વરના જ કર્યું છે, એમ માને; તમારા હેત એ ઈશ્વરના જ હસ્ત છે, એમ માને; તમારે સ્વર એ ઈશ્વરને જ સ્વર છે, એમ માને; અને આમ તમારામાં જે કંઈ છે, તે ઈશ્વરમય છે એમ માને. જે પ્રમાણમાં આ સત્યને તમે તમારા અણુઅણુમાં દ્રઢીભૂત કરશે, તે પ્રમાણમાં તમે તમારા પિતાનામાં ઈશ્વરને પ્રકટાવશે. ૧૯૦. જ્ઞાનીમાં અને અજ્ઞાનીમાં જે ભેદ છે, તે આ જ છે. જ્ઞાની જ્યારે પિતાને સર્વાગ બ્રહ્મમય જુએ છે, અને તેવું જ ભાન કરે છે, ત્યારે અજ્ઞાની પિતાને સર્વાગ એક તુચ્છ કડા જે જુએ છે, અને તેવું જ ભાન કરે છે. જ્ઞાનવાન પિતાનામાં બ્રહ્મત્વનું ભાન કરતા હોવાથી તેની પ્રત્યેક ક્રિયા, તેના પ્રત્યેક શબ્દ અને તેના પ્રત્યેક વિચાર તેના બ્રહ્મત્વને ભાવે એવા થાય છે; અજ્ઞાની પિતાનામાં તુચ્છ કીડાનું ભાન કરતા હોવાથી તે જે કરે છે, જે બેલે છે, અને જે વિચારે છે, તે એક તુચ્છ કીડાના જેવું જ હોય છે. ૧૯૧. નેત્રવડે સર્વ પ્રતિ અત્યંત પ્રેમની દૃષ્ટિથી જુઓ; પરમેશ્વરનાં નયન આના કરતાં અધિક શું જોઈ શકે એમ છે? વાણી વડે પ્રેમનાં મૃદુ વચને જેની તેની સાથે બેલ; પરમેશ્વરની વાણી આના કરતાં અધિક શું વદી શકે એમ છે? વિચારવડે આખા જગતનું હિત છે; પરમેશ્વરનું મન થી વધારે શું વિચારી શકે એમ છે?
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy