________________
વિચારરત્નરાશિ ]
૧૦૯
૧૬૦. આરોગ્યની જ જયાં ત્યાં વાત કરે. ગામની હવા બગડી છે, હવે તાવ ચાલશે, હવે ઢીંકણું થશે અને હવે રમકડું થશે, એવી એવી વાત ન કરતાં આરોગ્યની જ વાત કરે. આરોગ્યની વાત એ સૌથી ઉત્તમમાં ઉત્તમ ઔષધ છે. બીજાં કારણોથી જેટલા વ્યાધિઓ પ્રસરે છે, તેના કરતાં મંદવાની વાતોથી વધારે પ્રસરે છે. લેકે જયારે મંદવાડની વાત કરતા, અને મંદવાડનું ચિંતન કરતા બંધ પડી જશે, ત્યારે તેમને મંદવાડ આવતે પણ બંધ પડી જશે. આરોગ્યની જ વાતે કરે, અને આરોગ્યનું જ ચિંતન કરે, અને તમે સ્થિર આરોગ્યનો અનુભવ કરશો.
૧૬૧. માંદા માણસઆગળ આરોગ્યની વાત કાઢે, અને તેને આરોગ્યનું ચિંતન કરવાની તમે ફરજ પાડવાના; અને જે કઈ આરોગ્યનું ચિંતન કરે છે, તે આરેગ્યવાન મનુષ્યના જેવું જ જીવન ગાળવા માંડે છે, અને જે આરોગ્યવાન મનુષ્યના જેવું જ જીવન ગાળવા માંડે છે, તેને આરોગ્ય જ મળે છે.
૧૬૨. જ્યારે તમારા મિત્રો અને સંબંધીઓ પિતાના કે બીજાઓના મંદવાડની લાંબી લાંબી કથાઓ ભારે રસથી તમને કહેવા માંડે ત્યારે તત્કાળ આરગ્યની વાત કાઢીને, ડેહવાયેલા પાણીને સ્વચ્છ કરશે. આરોગ્યની જ વાતે કહેવા અને સાંભળવાનો આગ્રહ ધરે. મંદવાડકરતાં આરોગ્ય વધારે વ્યાપેલું તથા વધારે બળવાન છે, અને તેથી વાત કરવા માટે અત્યંત મહત્ત્વનો વિષય તે છે, એ સિદ્ધ કરો. જેનું પ્રમાણ અધિક હોય તેને જ પક્ષ બળવાન ગણાય છે. મંદવાડકરતાં આરોગ્યનું પ્રમાણ અધિક છે, માટે આરોગ્ય બળવાન છે. આરોગ્યની વાત વડે આરોગ્યના અધિક પ્રમાણને વિશેષ અધિક કરે. - ૧૬૩. જ્યારે જગતમાં દુર્ગુણ અને દુરાચાર અધિક પ્રમાણમાં જોવામાં આવે ત્યારે સદ્દગુણ અને સદાચારની જ વાત કરે. જ્યારે સગુણ અને સદાચાર અધિક પ્રમાણમાં જોવામાં આવે ત્યારે પણ તેથી અધિક પ્રમાણમાં સદ્દગુણ અને સદાચારની વાત કરે. સદ્દગુણની વાત કરવાથી લેકે સદ્દગુણસંબંધી વિચાર કરતા થશે. તેઓ સદ્દગુણના લાભનું ચિંતન કરતા થશે. વિચાર અને ચિંતન કરવા માંડતાં થોડા જ સમયમાં તેઓને સદ્દગુણ પ્રાપ્ત કરવાની ઈચ્છા થશે, અને મનુષ્યોને સદ્દગુણ થવાની જ્યારે ઇચછા પ્રકટે છે ત્યારે તેઓ સદ્ગણી થવાને પ્રયત્ન કરે છે, અને સગુણી થાય જ છે.
૧૬૪. નિરંતર સદ્દગુણની વાત કરવાથી તમે હજારે મનુષ્યોનાં મન શુદ્ધ કરી શકશો; અને આ હજારો પાછા બીજા લાખોનાં મન તેવી જ રીતે