________________
૧૦૮
[[ શ્રી વિશ્વવંદ્યવિચારરત્નાકર
સુખના માર્ગમાં તેમને મૂકી દેવા, એના જેવું સત્કર્મ બીજું કઈ તમને જણાય છે? આવું સત્કર્મ કેવા અનધિ ફળને ઉપજાવતું હોવું જોઈએ? આવું સત્કર્મ કરવામાં શું દ્રવ્યની કે એવા જ કઈ શ્રમથી મળનાર સાધનની અગત્ય છે? ના, એવા કેઈ સાધનની અગત્ય નથી. સુખની જ જયાં ત્યાં વાત કરો, અને તમને સ્પષ્ટ થશે કે આવું સત્કર્મ તમે નિત્ય જ કરે છે.
૧૫૭. કલેશ, કંકાસ, વિપત્તિ કે અવ્યવસ્થાના ભરસમુદ્રમાં તમે બેઠા છે તે પણ સુખની જ વાત કરે. કલેશ, કંકાસ વગેરે અલ્પ સમયમાં નિવૃત્ત થશે. દુઃખના વિષયની વાતે બદલીને સુખના વિષયની વાત કાઢવી, એ કામ ઘણું જ સહેલું છે. કેઈએ પ્રથમ આગેવાની કરવી જોઈએ. તરત જ દુઃખની વાત બંધ પડીને સુખની વાતે ચાલવા માંડશે. સારી વાત ચાલતી હોય છે, એટલામાં કઈ ભૂતની વાત કાઢે છે તે તરત જ સારી વાત બંધ પડી ભૂતની વાત ચાલવા માંડેલી શું તમે નથી અનુભવી ? દુઃખની વાત બંધ પાડીને સુખની
તેને પ્રસાર પણ એ જ રીતે કરી શકાય છે. જ્યાં જાઓ ત્યાં સુખની વાત કાઢવાની આગેવાની કરવાનું કદી પણ વીસરી જતા નહિ.
૧૫૮. કઠણ દહાડા આવ્યા છે, વરસ વરસને ખાતું આવે છે, ધંધારોજગારમાં રસકસ નથી, એ વગેરે વાત ન કરે, પણ અભ્યદયની અર્થાત ચઢતીના દિવસની જ વાત કરે. વરસ વરસને ખાતું આવતું હોય અને ધંધારોજગારમાં રસકસ ન રહ્યા હોય તે મનુષ્ય પિતે જ પિતાના પ્રયત્નથી તેવી સ્થિતિ ટાળવી જોઈએ. ભવિષ્યમાં સારા દિવસો આવશે એવી મનુષ્યમાં જો શ્રદ્ધા પ્રકટે છે, તે સારા દિવસો આવવાના તે વિચાર કરે છે, તથા તેવા દિવસે માટે પ્રયત્ન પણ કરે છે. શ્રદ્ધાથી જ તેના મનમાં આશાના અંકુર ફૂટે છે, અને તેના પ્રયત્નને વેગ મળે છે અને આવી શ્રદ્ધા સારા દિવસે આવવાની મનુ આગળ વાતે કરવાથી જ પ્રકટે છે.
૧૫૯. આ વર્ષે વૃષ્ટિ ઘણી જ સારી થશે, એવું ખેડૂતને કહેવાથી તે કેવો ઉત્સાહમાં આવી જાય છે, અને પ્રસન્નતાથી ખેતી કરવાનાં સર્વ સાધન એકઠાં કરે છે ! એથી ઊલટું વરસાદ નહિ આવવાની વાત તેના હાથપગ ભાગી નાંખે છે, અને તેના વિચારનું વાતાવરણ ચિંતાકુલ કરી મૂકે છે. દુઃખનાં કારણો એકત્ર થઈને જેટલાં દુઃખે ઉત્પન્ન કરે છે, તેના કરતાં દુઃખને યે વધારે દુઃખને ઉપજાવે છે; અને અભ્યદયની વાત કરવાથી દુઃખને ભય દૂર કરી શકાય છે.