SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારરત્નરાશિ ] ૧૦૭ હોય ત્યારે અધિક સુખની વાત કરે. બીજાઓને જ્યારે શોકાતુર જુઓ ત્યારે તેમને પ્રસન્નતાને પ્રકટાવવાને અત્યાગ્રહ કરે. તેમના શોકના વિષયની તેમના આગળ વાત ન કાઢે, પણ સુખની જ વાત કાઢે. તેમને શોક સત્વરે ઓછો થશે. ૧૫ર. સ્થળે સ્થળે સુખસંબંધી જ વાત કરે. તે સર્વદા લાભને જ કરે છે. અંધકાર દર્શાવવાનું છોડી દઈને સર્વને સૂર્યને પ્રકાશ જ દર્શાવે; અને સર્વ તમને પણ સૂર્યને પ્રકાશ જ દર્શાવશે. ૧૫૩. સર્વ આગળ સુખની જ વાત કાઢે. એથી તમારું આરોગ્ય સુધરશે, તમારી માનસિક શક્તિઓ અધિક તેજસ્વી થશે, અને તમે જ્યાં જશે ત્યાં સર્વ તમારા પ્રતિ આકર્ષાશે. દુઃખની નિરંતર વાતે કરવાથી શરીર બેડોળ અને કદરૂપું થાય છે, અને સુખની નિરંતર વાતે કરવાથી શરીરનું સૌંદર્ય વધે છે. વળી સુખની નિરંતર વાતો કરવાથી જે શારીરિક, માનસિક તથા આધ્યાત્મિક લાભ તમને થાય છે, તે જ લાભ, તમારી સુખસંબંધી વાતે જેઓ પ્રીતિપૂર્વક સાંભળે છે, તેમને પણ થાય છે. ૧૫૪. સુખની જ વાત કરે, અને તમારા મનને નિરંતર પ્રસન્ન રહેવાને અભ્યાસ પડી જશે. તમારા ઉદાહરણથી બીજા હજારે, સુખનું જ સંકીર્તન કરતાં શીખશે. એક દીપક કેટલા અસંખ્ય દીપકે પ્રકટાવે છે, એ શું તમે નથી જાણતા ? ઉત્તમ જીવન ગાળનાર એક જ મનુષ્ય તે જ પ્રમાણે, પિતાના સંબંધથી હજારોને ઉત્તમ જીવન ગાળનારા કરી મૂકે છે. ૧૫૫. બીજાઓને નાહિંમત અને નિરાશ થયેલા જોઈને તેમના આગળ તેમનામાં હિંમત અને આશા પૂર્ણ વેગથી પુનઃ પ્રકટે એવી સુખની જ વાત કરે. સર્વને માટે ભવિષ્યમાં અસાધારણ સુખ રહેલું હોય છે. તેને વર્તમાનમાં આણવાનો પ્રયત્ન નહિ કરવાથી જ ઘણુ મનુઓ દુઃખી રહે છે. તેમના આગળ સુખની વાત કરીને ભાવિમાં રહેલાં સુખોને તેઓ જુએ તેમ કરે. જયારે મન નિરાશ અને નાહિંમત થયેલું હોય છે, ત્યારે તે અંધ હોય છે. તે સ્થિતિમાં તે કેવળ અંધકાર જ જુએ છે. સુખની વાતે વડે મનમાં જ્યારે પ્રસન્નતાને પ્રકાશ પ્રવેશાવવામાં આવે છે, ત્યારે મનનું અંધત્વ નાશ થાય છે. તેને નેત્ર આવે છે. તે પિતાના ભાવિમાં રહેલાં સુખને જોઈ શકે છે. તેથી સર્વ પ્રસંગે, સર્વ સ્થળે, સર્વની સાથે સુખની જ વાત કરે. ૧૫૬. હજારે મનુષ્યોનાં અંતઃકરણને દુઃખમય અંધકાર ટાળવે, અને
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy