________________
૧૦૬
[ શ્રીવિઝવવંદ્યવિચારરત્નાકર
ગ્રહણ કરવામાં કવચિત જ વિવેક વાપરે છે. તેઓ કાનવડે, વિશેષ કરીને સઘળા જ વિચારે સાંભળે છે, અને નેત્રવડે પુસ્તકોમાં અને વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થયેલા સઘળા જ વિચારે વાંચે છે. મનને પુષ્ટ કરે અને તેનું આરોગ્ય વધારે એવો આહાર મનને વર્તમાન સમયમાં બહુ જ થોડા મનુષ્ય આપે છે.
૧૪૯. શરીરનું આરોગ્ય વધારનારા પથ્ય આહારનું જ્ઞાન જેમ મનુને ઉપયોગી છે, તેમ મનનું આરોગ્ય વધારનારા પથ્ય વિચારોનું જ્ઞાન પણ તેમને તેટલું જ અથવા તેથી પણ અધિક ઉપયોગી છે. પ્રસન્નતા, શ્રદ્ધા, મૈત્રી અર્થાત સર્વ સાથે અવિરોધનિર્ભયતા, વિવિધ વિપત્તિના પ્રસંગોમાં હિંમત, પ્રાણીમાત્ર ઉપર પ્રેમભાવ, એ વગેરે સદ્ગણે એ મનને પથ્ય આહાર છે. જે જે વિચારોવડે આ સગુણ દબાઈ જાય છે, તે સર્વ વિચારે કુપથ્ય છે, અને જે જે વિચારેવડે આ સર્વ સદ્દગુણો વિકાસને અને વૃદ્ધિ પામે છે તે સર્વ વિચારે પથ્ય છે.
૧૫. સર્વ પ્રકારના કુપચ્ચ વિચારેને બુદ્ધિમાને દઢતાથી અંતઃકરણમાં પ્રવેશ કરતાં અટકાવવા જોઈએ. અંતઃકરણને દાબી નાખે, નાહિંમત કરી નાખે, ભયાકુલ અથવા શોકાકુલ કરી નાખે, એવા વિચારે જે સ્થળમાં ચાલતા હોય ત્યાં એક ક્ષણ પણ ઊભા ન રહેવું, અને ઊભા રહેવાને પ્રસંગ આવે તે કાનને બંધ કરી નાંખવા. શ્રવણે પડેલા આવા વિચારોનું એકાંતમાં સ્મરણ કદી પણ ન કરવું. સર્વ પ્રયત્નથી તેમને ભૂલી જવા. સ્મરણમાં આવે તે પ્રયત્નપૂર્વક મનને બીજા કામમાં જોડવું. કુપથ્ય વિચારે એ અંધકાર છે, અને પથ્ય વિચારો - એ સૂર્યને પ્રકાશ છે. અંધકારમાં જીવનને નાશ થાય છે, અને પ્રકાશમાં જીવન પિપાય છે, અને આમ હોવાથી કુપચ્ચે વિચારે મરણ અને મરણના જેવાં દુઃખ પ્રકટાવે છે, અને પથ્ય વિચારે છવન અને જીવનજન્ય અનેક સુબ પ્રકટાવે છે. * ૧૫૧. જ્યાં જાઓ ત્યાં સુખનું જ સંકીર્તન કરશે. દુઃખસંબંધી વાતને પરિત્યાગ કરીને, જેને મળે તેની સાથે સુખની જ વાત કરે. વિપત્તિનું વાદળ તમારા અથવા અન્યના મસ્તક ઉપર ઝઝૂમી રહેલું જુઓ, તે પણ સુખની જ વાત કરે. વિપત્તિનું વાળ તમારા પર તૂટી પડ્યું હોય, અને લેકે જે સ્થિતિને દુઃખનાં માથે ઝાડ ઊગ્યા જેવી ગણતા હોય તે સમયે પણ સુખ સંબંધી જ વિચારો અને વાત કરે. સુખ પ્રાપ્ત હોય અથવા સુખ પ્રાપ્ત થવાનો સંભવ