SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારરત્નરાશિ ] ૧૦૫ પીતળના પાત્ર જેવી ઉપરથી જ ચળકાટવાળી છે, પરંતુ આચાર મૂલ્યવાન શુદ્ધ સુવર્ણના પાત્ર જે સ્થાયી સંદર્યવાળો છે. ૧૪પ. આજથી જ, આ ક્ષણથી જ, સુખના જે ઉપાય જાણતા હે તેને આચારમાં મૂકવા માંડે. તમે પ્રાપ્ત કરેલું જ્ઞાન અન્યને મોહ પમાડવા માટે નથી અથવા તમે મહા પંડિત છો, એવી જગતમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટે નથી, પણ તમારા પિતાના સુખ માટે છે. તમે પોતે દુઃખી રહ્યા, તમારા જ્ઞાનથી તમારું પિતાનું દુઃખ ન ટળ્યું, તે પછી જેમ વંધ્યા સ્ત્રીથી માંડેલે ગૃહસ્થાશ્રમ નિષ્ફળ છે, તેમ તમારું જ્ઞાન નિષ્ફળ છે. તમારા ભંડારમાં કરેડે સુવર્ણ મુદ્રિકાઓ હોય, પણ તેમાંથી એક કપર્દિકા સરખી પણ તમારા ભૂખે મરતા કુટુંબને માટે અન્ન લાવવામાં તમારાથી ન ખરચાય, અને તેમના ઉદરમાં એક એક હાથના ઊંડા ખાડા સર્વદા પડ્યા રહે, તે એ તમારે ભંડાર સામાન્ય જનક્તિપ્રમાણે શું પૂળો મૂકવા જેવો તમને નથી લાગતું? સાવધાન થાઓ, વાતને ત્યજે, અને આ ક્ષણથી જ તમારા પ્રાપ્ત જ્ઞાનને આચારમાં ઉતારે. ૧૪૬. સડેલા અથવા બગડેલા પદાર્થો કેઈ બુદ્ધિમાનને ખાવા આપ્યા હોય તે ભાગ્યે જ તે તેને ખાય છે. સર્વ બુદ્ધિમાન મનુષ્યો જાણે છે કે બગડેલે આહાર શરીરને નુકસાન કરે છે, અને તેથી શુદ્ધ આહારના પદાર્થો મેળવવાને માટે તેઓ સર્વદા અત્યંત કાળજી રાખે છે અને આમ છતાં મનને બહાર જે વિચારે, તેમની શુદ્ધિને માટે હજારમાંથી એકાદ મનુષ્ય પણ ભાગ્યે જ કાળજી રાખે છે. ૧૪૭. જેમ ખાવાના પદાર્થો શરીરને પિષે છે, તેમ વિચારે મનને પોષે છે, અને જેમ ખાવાના પદાર્થો બગડેલા હોય છે, તે શરીરને હાનિ થાય છે, તેમ વિચારે બગડેલા હોય છે, તે મનને હાનિ થાય છે. અને શરીરને થયેલી હાનિકરતાં મનને થયેલી હાનિ હજારગણી મોટી હોય છે. કારણ કે આપણું સુખદુઃખને ખરો આધાર આપણું મન જ છે. સુખક મનુષ્યોએ આ વાતનું એક ક્ષણ પણ વિસ્મરણ કરવું ઘટતું નથી. ૧૪૮. એવું કહેવાય છે કે “ઊંટ આકડાવિના અને બકરી કાંકરાવિના સઘળું જ ખાય છે. અને તે પણ તેઓ પોતાના શરીરને પોષનાર વનસ્પતિ જ ખાય છે. વનસ્પતિવિના ગમે તે કચરે તેઓ કદી જ ખાતાં નથી. વિચારના સંબંધમાં મનુને મેટે ભાગ ઊંટ અને બકરી કરતાં પણ ચઢી જાય છે. તેઓ વિચારેને
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy