SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ || શ્રીવિશ્વવંધવિચારરત્નાકર શુદ્ધ કરશે. આથી સદગુણની જ વાત કરવાથી તમે જગતનું જે કલ્યાણ કરે છે, તેની સીમા જ નથી. ૧૬૫. જ્યારે જગત અસત્ય અને છળપ્રપંચથી ભરેલું જણાય, અને ઘેર કળિકાળ પ્રસરી રહેલે ભાસે ત્યારે પણ સત્યનું જ અને સત્યના મહિમાનું જ ગાન કરે. અસત્ય વ્યાપવાથી સત્ય કંઈ નાશ પામતું નથી. સત્ય તે સર્વત્ર સર્વ સામર્થ્યયુક્ત વ્યાપી રહ્યું જ છે. તેને દૃષ્ટિએ આણવા માટે તેની જ વાત કરે. અસત્યનાં અને છળપ્રપંચનાં ચિત્રો લેકે આગળ ન ધરે, કારણ કે અસત્ય અને છળપ્રપંચનાં ચિત્રો નિરંતર તેમની આગળ ધરવાથી તેઓ અજાણપણે અસત્ય અને છળપ્રપંચના જ માર્ગમાં દોરાય છે. લેકોના વિચારના પ્રવાહની દિશા તમે બદલી શકે એમ છે. નિરંતર સદ્દગુણની વાત કર્યા કરવાથી સમગ્ર મનુષ્યપ્રજાને સદગુણમાં પ્રીતિવાળી તમે કરી શકશે અને તેમ થતાં કળિકાળમાં પણ તમે સત્યયુગને પ્રવર્તે . ૧૬. તમે જે પ્રકારે વાત કરે છે તે પ્રકારે તમે મનુષ્યના મનને દેરી શકે છે. તમારા શબ્દો જે દિશાને દર્શાવે છે, તે દિશામાં તેનું મન ગયા વિના રહેતું જ નથી. દેષની, દુરાચારની, વ્યાધિઓની, અને વિપત્તિની વાત કર્યા કરે, અને ઘણુ મનુષ્યો તે તરફ તણાયા જવાના. સગુણની, સદાચારની, આરોગ્યની, અને સંપત્તિની વાત કર્યા કરે, અને ઘણુ મનુષ્યો સદ્દગુણ, સદાચાર, આરોગ્ય અને સંપત્તિતરફ આકર્ષાઈ તે પ્રાપ્ત કરવા મથવાના. ૧૬૭. રાજા બહુ જુલમી છે, એવી વાતે નિરંતર કર્યા કરવાથી પ્રજા ઉપર અધિક જુલમ કરવા રાજા પ્રેરાય છે. પ્રજા રાજદ્રોહી છે, એ રાજા તરફથી વારંવાર પિકાર ઉઠાવવામાં આવતાં રાજભક્ત પ્રજા રાજદ્રોહ કરવા પ્રેરાય છે, અને પિકાર કાયમ રહે છે તે પ્રજા રાજદ્રોહી થયા વિના રહેતી નથી. વાતે રાજાપ્રજાની કેવી સ્થિતિ કરી મૂકે છે, તેનું તાજું ઉદાહરણ હાલની બ્રિટિશ રાજસત્તા અને હિંદુસ્તાનની હાલની પ્રજા છે. ૧૬૮. પ્રજા રાજા સામે કાવતરાં ન કરતી હોય તથાપિ પ્રજા કાવતરાં કરે છે, એ પ્રજા ઉપર વારંવાર આરોપ મૂક્વામાં આવે છે, તે પ્રજા કાવતરાખોર થઈ જાય છે. બંગાળામાં થોડા સમયથી ઊડતા પ્રાણધાતક ગેળાઓના જન્મનું તથા ત્યાંના સત્તાધીશોના જુલમનું કારણ આવી વાતેથી જન્મને પામ્યું છે, એ કોઈ પણ વિચારવાનને સ્પષ્ટ થયા વિના રહે તેમ નથી.
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy