SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ [ શ્રીવિશ્વવંદ્યવિચારરત્નાકર મારે પણ વેગ આવતું હતું. “આયુષનું સાર્થક્ય શી રીતે કરવું ?” “સમયને સદુપયોગ ન કરવાથી કેવી ભયંકર હાનિ થાય છે, “અભ્યદયના ઉપાયો, સુદઢ આરોગ્ય શી રીતે પ્રાપ્ત કરવું, “શુદ્ધ વિચાર સેવવાની પ્રત્યેક મનુષ્યને અનિવાર્ય અગત્ય છે.” “આળસ અને પ્રમાદથી થતા અલાભ તથા ઉદ્યોગના લાભ” વિષયલેલુપતા સર્વ મનુષ્યોએ ટાય છે,’ ‘બાહ્ય શૌચ તથા આંતર શૌચ,” ઈશ્વરભક્તિનું માહાતમ્ય, “સુખકે સંયમ જ સેવ્ય છે.' જીવન મુક્ત કેને કહેવા.” “નાટક જેવાથી થતાં નુકસાન, કર્તવ્ય, પ્રાપ્તવ્ય અને જ્ઞાતવ્યનું સ્વરૂપ, આ વગેરે અનેક ઉત્તમ વિષયો ઉપર જે ગાંભીર્યથી, વિદ્વત્તાથી, અને અંતઃકરણની લાગણીથી તેઓ વ્યાખ્યાન આપતા હતા, તે જોઈને તથા સાંભળીને કવચિત જ કોઈને શંકા થાય કે જનસમુદાયમાં જે બોધ તેઓ આપતા હતા તેથી કેવળ વિરુદ્ધ જ તેમનું ખાનગી જીવન હશે. તેઓના બોધને અને આચારને ઉત્તર ધ્રુવ તથા દક્ષિણ ધ્રુવ જેટલું અંતર હશે, એવું કવચિત જ કોઈને અનુમાન થાય. પરંતુ વસ્તુતઃ તેમ જ હતું. સમયના સદુપયોગનું વ્યાખ્યાન કરનાર, પ્રહરના પ્રહર માલવિનાના તડાક માર્યા કરતા અને મિતાહાર એ સુદઢ આરોગ્યને આપનાર છે, એમ લાંબા લાંબા હાથકરી શ્રોતાઓને દટાવવા પ્રયત્ન કરનાર ભેજનકાળ દૂધપાકના કે શિખંડના સાત સાત પડિયા ઉઠાવી જતા, અને ઉપર ઘીનું ભજન હોય ત્યારે બશેર સુધી વિષ્ણુ તેજ(ઘી)ની આહુતિ, પ્રાણાગ્નિહોત્રમાં એક સપાટે અપી દેતા. એ જ પ્રમાણે ભ્રાતૃભાવ રાખવાનું કે પ્રાણીમાત્રમાં સર્વાત્મભાવ રાખવાનું વ્યાખ્યાન કરનાર દિવસમાં સોવાર પિતાના સંબંધમાં આવનાર સાથે લડતા, તેમને કઠોર વચન સંભળાવતા અને ઘણે પ્રસંગે કેનિ દેના પુરાણની કથા, તેની અવિદ્યમાનતામાં સવારથી સાંજ સુધી ગાતા. સ્વલ્પમાં જે બેધ તેઓ અન્યને આપતા, તે બોધના મનહર રંગથી માત્ર તેમની વાણી જ રંગાયેલી જણાતી, પણ તેમનું અંતર કાળા કામળા જેવું જ તેમના વર્તનથી જયારે ત્યારે જોવામાં આવતું. ૧૩૮. પ્રિય વાચક ! આ ચિત્ર કેઈ અમુક વ્યક્તિઓનું છે, એમ જાણશે નહિ. એ મારું અને તમારું પિતાનું જ ચિત્ર છે. તમે અને હું આમ જ વતીએ છીએ. અન્યને બોધ આપતાં આપણે ગરુડ બની જઈ ગગનમાં ઉડીએ છીએ, પરંતુ તે બોધ પ્રમાણે વર્તન કરવાનું આપણને પિતાને પ્રાપ્ત થતાં આપણે કીડા થઈ છાણમાં અને માટીમાં આળોટીએ છીએ. બધ આપવામાં આપણે બહસ્પતિ બનીએ છીએ; બોધપ્રમાણે વર્તન કરવામાં આપણે વાણી અને વર્તનને ભેદ રાખનાર
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy