SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રીવિશ્વવંદવિચારરત્નાકર કરનાર અયોગ્ય વિચારેની મેટી ચાંડાલની સેનાને પિતાના પવિત્ર હૃદયમંદિરમાં પ્રવેશતી જોઈને તેમને લેશ પણ કમકમી આવતી નથી, પણ ઊલટા તેઓ આ ચાંડાલેને પિતાના હૃદયમાં પ્રવેશતાં પુષ્પવડે વધાવી લે છે. તેઓ બાહ્ય મળને હાથને સ્પર્શ થતાં સાત વાર માટીથી તેને ધુએ છે, અને દિવસમાં દશ વાર નદીમાં ડૂબકાં મારે છે, પરંતુ પિતાના હૃદયમંદિરમાં અયોગ્ય વિચારરૂપી મળના ટોપલાઓને પિતાની મેળે જ લાવી લાવીને નાંખે છે. અમુક સમયે મન કેવા વિચાર કરે છે, અને તે વિચારેને અનુસરીને ઈન્દ્રિયો કેવી ક્રિયા કરે છે, તેનું તેમને જરા પણ ભાન હોતું નથી. છાણના ઉકરડામાં આળોટતાં છતાં, જેમ દારૂના પીનારને તેના નઠારા વાસનું ભાન હેતું નથી, તેમ તેઓને પિતાના હૃદયમંદિરની ભ્રષ્ટતાનું ભાન હેતું નથી. ૧૨૭. આ અવિવેકી મનોનું મન જડ વિષયોમાં આખો દિવસ રમણ કર્યા કરે છે. ઘણા મનુઓ નવરા પડે છે ત્યારે ખાવાની વાતમાં જ કલાકના કલાક ગાળી નાંખે છે. ફલાણે દિવસે શિખંડ બહુ સારો થયો હતો, અને અમુક દિવસે પૂરણપોળી બહુ સારી થઈ હતી, સુરતની બરણીની બલિહારી છે, અને વડોદરાની જલેબી અને ચેવડા આગળ સઘળું રદ છે, અમારે ત્યાં બટાકાનું શાક સારું થાય છે, અને ફલાણાને ત્યાં કદી સારી થાય છે, આ અને આવી અસંખ્ય પ્રકારની ખાવાની વાતમાં જ તેઓ જીવનનું સાર્થક માને છે. આજે આઈસક્રીમ બનાવ્યું હોય તે શરીરમાં ઠીક ઠંડક થાય, અથવા ફાલસાનું કે લીંબુનું શરબત પીધું હોય તે આ ઉકળાટ કંઈક શમે, આ અને એવા જ બીજા વિચારોમાં તેઓને અત્યંત આનંદ ભાસે છે. ચાર જણ એકઠા મળ્યા હોય છે, તે આવી વાતેમાં તેઓ કલાકના કલાક ગાળી નાખે છે; અને આઇસક્રીમ બનાવવાના પૈસા હેય છે તે બાર વાગતાથી ચાર વાગતા સુધી તેના જ હલ્લામાં, કઈ મહાભારત કાર્ય આરંળ્યું હોય તેની પેઠે ઘૂમ્યા કરે છે. હમણાં આઇસક્રીમ થશે, અને તેને ખાઈને સ્વર્ગને અમૃતપાનથી પણ અધિક આનંદને ભોગવીશું, એવા વિચારમાં પ્રફુલ્લ વદને આમથી તેમ ઘૂમઘૂમ કરે છે. અહહ ! અજ્ઞાનનું સામ્રાજ્ય મનુષ્યોના હૃદયમાં કેવું પ્રબળપણે વ્યાપી ગયું છે ! ૧૨૮. મનની અને શરીરની આ ચાર કલાકની ક્રિયા, જે ફળના ભાગને માટે મનુષ્યો આમ સ્થળે સ્થળે સેવે છે, તે ફળ, તેને પ્રાપ્ત કરવા માટે ગાળેલો સમય અને શ્રમના પ્રમાણમાં શું જોઈએ એટલું હોય છે? આ ચાર કલાકને આથી વધારે સારે ઉપયોગ શું મનુષ્ય પ્રાણી કરી શકે એમ નથી? પેટમાં ઠંડક
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy