SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારરત્નરાશ ] ૧૨૫. વ્યવહારનાં કે પરમાર્થનાં સર્વોત્તમ સુખ મળે, એવાં સાધન પરમકૃપાળુ પરમાત્માએ તમને આપ્યા છતાં શા માટે તે સાધનોનો ઉપયોગ કરવામાં પ્રમાદને સેવો છો, અને “મારું દુઃખ ટળતું નથી” એવી બૂમો પાડ્યા કરે છે ? ઘડો, દોરડું અને વિો પ્રાપ્ત છતાં તથા બે હાથ, નેત્ર અને જળને કૂવામાંથી ખેંચવાનું સામર્થ્ય પ્રાત છતાં, તૃષાના દુઃખની બૂમો જેમ કઈ અજ્ઞાન મનુષ્ય પાડે, તેમ દુઃખના રાત્રિદિવસ પિકાર શા માટે પાડ્યા કરે છે, અને જ્યાં ત્યાં સુખના ઉપાય પૂછડ્યા કરે છે ? નિશ્ચયપૂર્વક માને કે દુઃખ પિતાના પ્રયત્નવિના અન્ય કોઈ ઉપાયે ટળતું નથી. બીજા મનુષ્યો દુઃખ ટાળવાની યુક્તિ માત્ર આપે છે; પરંતુ યુતિને સેવવાનું કામ તેમનું નથી. જેને દુઃખને ટાળવાની ઈચ્છા હોય છે, તે મનુષ્ય પોતે દુઃખને ટાળવાની યુક્તિને સેવવી જ પડે છે. ધ ટાળવાને માટે ભૂખ્યા મનુષ્ય પોતે અન્ન ખાવું જ જોઈએ. બીજા મનુષ્યના અન્નના ગ્રહણ કરવાથી ક્ષુધાતુરની સુધા ટળતી નથી. આવો સર્વસામાન્ય નિયમ વિશ્વમાં પ્રસિદ્ધ છતાં દુઃખ ટાળવાને માટે અન્યના ઉપર આધાર રાખવાની કુટેવ, જે બીજું કંઈ જ નથી પણ એક પ્રકારની આળસ જ છે, તેને શા માટે સેવ્યા કરે છે ? બ્રહ્માંડમાં કે બ્રહ્માંડની બહાર-ગમે ત્યાં-જોશે, તે પણ તમને સુખ કે દુઃખનું કારણ મનવિના અને તે દ્વારા થતી યોગાયોગ્ય ક્રિયાવિના અન્ય કશું જ જડવાનું નથી. પ્રારબ્ધથી સુખદુઃખ આવે છે કે પુરુષાર્થથી સુખદુઃખ આવે છે, ગમે તે કારણથી સુખદુઃખ આવે છે, એમ માને, પણ પ્રારબ્ધનું કે પુરુષાર્થનું સર્વનું મૂળ મન જ છે. મનવિના સુખદુ:ખનું કારણ અન્ય કઈ છે જ નહિ. આમ છે તે પછી શા માટે મનને જ અનુકૂળ કરવાનો એક જ ઉપાયને સેવતા નથી, અને નકામાં ફાંફાં માર્યા કરે છે ? ૧૨૬. ઘરમાં કે બહાર, જ્યાં જ્યાં દષ્ટિ નાંખી જોઈએ છીએ ત્યાં ત્યાં અસંખ્ય મનુજો મનના તરફ જે અસાધારણ બેદરકારી બતાવે છે, તે જોઈ તેઓની દુઃખી અવસ્થાથી આશ્ચર્ય થતું નથી. સુખ કે દુઃખના ઊપજવા સાથે આ મનને જાણે કશે જ સંબંધ ન હોય તેમ તેઓ વર્યા કરે છે. ગમે તેવા વિચારોને મનમાં પ્રવેશવા દેતાં તેઓને જરા પણ સંકેચ થતું નથી. જમવા બેઠા હોય ત્યાં એક કૂતરું આવે તે તેઓ લાકડી લઈને ઊભા થાય છે, ઢેડની કે ભગિયાની છાયા પડે તે ખાવાનું સઘળું ફેંકી દે છે, અને તત્કાળ સ્નાન કરે છે, પરંતુ શ્વાન, દે કે ભંગિયાના પર્શથી થતી હાનિકરતાં અનંતગુણ હાનિને ૧૩
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy