________________
૬
[ શ્રીવિધવ‘વિચારરત્નાકર
પોતાના સ્વભાવ પ્રમાણેના રસ આકર્ષે છે, તેમ મનુષ્યાએ મનને જે પ્રકારનું કેળવ્યું" હાય છે, તે પ્રમાણેના વિચારાને તથા ક્રિયાને તે સેવે છે, અને તે વિચાર તથા ક્રિયાવડે પરમાત્મામાંથી ફળને પ્રાપ્ત કરી લે છે. જેમ બાવળનું ખીજક ખાવળ ઉપર કાંટા જ આણે છે, કેળની કામળતા આણતું નથી, તથા ફળમાં પરડા ઉપજાવે છે, પણ કેળાંને ઉત્પન્ન કરતું નથી, તેમ મનના અયાગ્ય વિચારા તથા તે વડે થતી વાણીની તથા શરીરની અયોગ્ય ક્રિયા તનનાં, ધનનાં, તથા માનસિક ઊંચાં સુખાને પ્રકટાવતી નથી, પરંતુ દુઃખાતે જ પ્રકટાવે છે.
૧૨૨. યોગ્ય ક્રિયાઓમાં મનને સદા જોડાયલુ રાખવું, એ જ આ જગમાં મનુષ્યાનું કવ્ય છે. નિશાળામાં અને પાઠશાળાઓમાં પ્રાથમિક અને ઊઁચી કેળવણી લેઈ ને, વિદ્યાના, કળાના અને તત્ત્વજ્ઞાનના ગ્રંથાના ભારે અભ્યાસ કરીને, અને તત્ત્વજ્ઞ મહાપુરુષોના સમાગમ કરીને અને તેમના ઉપદેશા શ્રવણુ કરીને, જે કરવાનું છે, તે એ જ છે કે મન નિરંતર શુદ્ધ વિચારમાં, તથા શુદ્ધ ક્રિયામાં જોડાયલુ રહે, એવુ બળ પ્રાપ્ત કરવું.
૧૨૩. ક્રિયા સુખ અથવા દુઃખ એ એમાંથી એક ફળને પ્રકટાવે છે. સુખના વ્યાવહારિક સુખ તથા પારમાર્થિક સુખ એવા એ ભેદ હોવાથી વ્યાવહારિક સુખને પ્રકટાવનારી ક્રિયા, શુદ્ધ ક્રિયા, ગણાય છે, અને પારમાર્થિક સુખને પ્રકટાવનારી ક્રિયા સર્વાંત્તમ શુદ્ધ ગણાય છે; અને દુઃખને પ્રકટાવનારી ક્રિયા અશુદ્ધ જ ગણાય છે.
૧૨૪. મનુષ્યના મોટા ભાગપ્રતિ દૃષ્ટિ નાંખી જોઈશું તો સ્પષ્ટ થશે કે તે દિવસના અષ્ટ પ્રહરમાં ધણા જ થોડા સમય સર્વાંત્તમ શુદ્ધ ક્રિયામાં ગાળતા હાય છે, ક'ઈક સમય શુદ્ધ ક્રિયામાં ગાળે છે, અને પુષ્કળ સમય અશુદ્ધ ક્રિયામાં ગાળે છે. તેઓ એકલા હાય છે ત્યારે તેઓનું મન ક્વચિત જ સદ્વિચારને સેવતું હાય છે. મિત્રોમાં બેસે છે ત્યારે તેઓ કાઈ પણ વ્યવહારનું કે પરમાનું ઉત્તમ ફળ ન પ્રકટે, એવી નિર્માલ્ય વાતો અને વિચારોમાં કલાકોના કલાકા ગાળી નાંખે છે. તેઓ પોતાના ઉપર સુગ ંધમય મનોહર ગુલાબનુ પુષ્પ આવે કે સ્વાદિષ્ટ આફૂસની કેરી આવે એવા રસ પૃથ્વીમાંથી આકતા નથી, પણ ઈંદ્રવારણાનાં કડવાં ફળ ઉત્પન્ન થાય એવા રસ આકર્ષે છે; અને આ પ્રમાણે વ્યવહારના ઉત્તમ સુખને કે પરમાર્થીના સત્સુખને અનુભવ્યા વિના કાળે કરીને મરણને વશ થાય છે.