SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ . નિકોલસ નિકલ્પી ગયો. કારણ કે, શરૂઆતમાં રાલ્ફની સાથે તેને લેવડ-દેવડનો સારો સંબંધ હતો. રાલ્ફ એક પેની પણ ઊછીની આપવા ના પાડી. પણ પોતાની ઑફિસનું બારણું ઉઘાડવા-વાસવા તેને એક નોકર જોઈતો હતો, તે કામે તેને રાખી લીધો. અલબત્ત, તેર વર્ષના છોકરાને જે પગારથી રાખે, તે પગારથી. નૉગ્ઝ આમેય અર્ધા ગાંડા જેવો–બાહુક જ બની ગયો હતો; અને રાલ્ફને બરાબર તેવા જ માણસની જરૂર હતી. રાલ્ફની ઑફિસમાં એવાં કામો થતાં, જે કોઈ નોકર પણ સાંભળી જાય, તો પાલવી શકે તેમ ન હતું. એટલે રાલ્ફને નૉગ્ઝ મળવાથી નોકર મળ્યો, જે બહુ સસ્તામાં મળ્યો હતો; અને એવો બાહુક મળ્યો, જે કશું સાંભળી જાય, તાય તેનો દુરુપયોગ ન કરી શકે! અને રાલ્ફની વાત સાચી હતી. તેને અને તેના ભાઈને શી લેવાદેવા હતી? બચપણમાં મા તરફથી બંને ભાઈઓને કેવળ પૂર્વ જીવનમાં ભોગવેલી તંગીની વાતો, અને પિતા તરફથી, છેક મોટી ઉમરે બીજા કાકા પાસેથી અચાનક મળેલા વારસાનો હિસ્સો, મળ્યાં હતાં. રાલ્ફ નાનપણથી જ જોઈ ગયો હતો કે, પૈસા જેવી પરમ ચીજ બીજી કોઈ નથી. નાનો હતો ત્યારથી જ નિશાળમાં તે સ્લેટ-પેનના ટુકડા અને લખોટાની મૂડીથી ધીરધારનો ધંધો કરતો. અને પછી હાથમાં થોડા તાંબાના સિક્કા આવતાં તેણે એ ધંધો વિકસાવ્યો હતો. જેમ કે, દરેક અર્ધ પેની દીઠ અઠવાડિયે બે પેની જ વ્યાજ તે લેતો; જેથી બહુ કડાકૂટિયો હિસાબ ન રાખવો પડે. ઉપરાંત, ધીરધાર સોમવારે થઈ હોય કે શુક્રવાર થઈ હોય, પણ આગલા નિવારને જ તે હિસાબી દિવસ ગણતો. શનિવાર જ છોકરાંઓ માટે ખીસાખર્ચ મળવાનો દિવસ હોય. રાલ્ફની દલીલ એ હતી કે, એક દિવસ માટે જ પૈસા ઊછીના
SR No.006010
Book TitleNikolas Nikalbi
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1965
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy