________________
૩૬
બે ભલાં મિત્રજન
૧
નિકોલસને તાકીદે લંડન આવવાની ચિઠ્ઠી લખી નાખ્યા બાદ, ભલા ન્યૂમૅનને ચિંતા થવા લાગી કે, નિકોલસ આવીને બધું પૂછશે ત્યારે, રાલ્ફ વગેરેની બદમાશીની વાત સાંભળી ઉશ્કેરાઈ જઈ, તે કશું અજુગતું કરી બેસશે તો? આમ, એ વાત એને કહેવી કે શું કરવું, એના તાડ કે ઉકેલ ન લાવી શકાવાથી, તે મિસ લા ક્રીવીની સલાહ લેવા તેની ચિત્રશાળામાં પહોંચી ગયો. કારણ કે, તે ભલી બાઈ નિકોલસના કુટુંબની હાર્દિક હિતેચ્છુ હતી, એમ તે જાણતો હતો.
મિસ લા ક્રીવીએ બધી વાત સાંભળીને તરત જ કહ્યું, “ખરી વાત ! નિકોલસ એ વાત સાંભળીને. એક ઘડી પણ ઘરમાં ઊભા રહે, તો હું મારી આ આખી દુકાન એ બદમાશ રાલ્ફ નિકલ્બીને મફત જ આપી દઉં! માટે એ આવે કે તરત તમારે બધી વાત તેમને ન કહેવી! પણ તેમનાં મા-બહેન હોય, ત્યારે જ
આ
,,
આ વાત કરવી.
મિસ લા ક્રીવીનો પણ એવો જ અભિપ્રાય પડતાં, હવે શું કરવું તે બાબત ન્યૂમૅન વળી વધુ મૂંઝવણમાં પડયો, તે જોઈ મિસ લા ક્રીવીએ આગળ ચલાવ્યું —
“મને તો ખાતરી છે કે, તમે જો જાળવીને વાત નહિ કરો, તો તે તરત સીધા તેમના કાકાને ત્યાં પહોંચી જઈ, તેમનું ખૂન જ કરી નાખશે. બાપ રે – ખૂન કરનારને તો ફાંસી થાય! પછી આપણે સૌ શું કરીશું ? ”
પણ ન્યૂમૅન તો રાલ્ફ નિકલ્બીનું આમ ખૂન થઈ બેસે એ ખ્યાલથી જરા જુદા જ તરંગે ચડી ગયો અને બોલ્યો, “અહા,
ck
૧૮૭