________________
પીને મટે
૮૭
‘શાનું કાર્ડ?’
‘આ સૂરજ આથમ્યો, એટલે કબ્રસ્તાનના દરવાજા બંધ થશે. પછી કાર્ડ નહિ હોય તો તું બહાર શી રીતે નીકળીશ?’ ‘અરે કાર્ડ આ રહ્યું', એમ કહી પેલાએ ખિસ્સું દબાવ્યું. પણ ત્યાં કા” ન હતું!
પછી તો તેણે બંને ખિસ્સાં અંદર હાથ નાખી ઉલટાવી નાખ્યાં. ‘હું ઘેર ભૂલીને આવ્યો કે શું?'
પરવાનો ન હોય તો પંદર ફ઼ાંક દંડ!'
પંદર ફ઼ાંક ?’ એટલું બોલતાંમાં તો ઘોરખોદિયાના હાથમાંથી પાવડો પડી ગયો.
જો હજુ દાડતો જાય, તો દરવાજા બંધ નહીં થયા હોય; તું ઘેરથી જલદી કાર્ડ લઈ આવ. તારું ઘર કયાં છે?” ‘નં. ૮૭, ૩ ૬ વાગીમાં, બુઢ્ઢા, તેં તો આજે મને જીવતદાન દીધું.’ એમ કહી તે મૂઠીઓ વાળીને નાઠો.
પછી થોડી વારમાં ડોસાએ કોનનું ઢાંકણું ટાંકણા વડે ઉખાડી નાખ્યું. જીન વાલ્ટેજન અંદર બેહોશ પડેલો હતો. ડોસો એકદમ તો ગભરાઈ ગયો, અને જીન વાજનને ઢ ઢોળવા લાગ્યો. થોડી વારે જીન વાજને ચોખ્ખી હવા મળતાં અને શરીર સારી પેઠે ઢંઢોળાતાં આંખો ઉઘાડી.
પછીની વાત ટૂંકી જ છે. બંને જણ કબર ઉપર માટી વાળવાનું કાત પતવી બે પરવાના વડે બહાર નીકળી ગયા. ડોસાએ ધોરખોદુને ઘેર જઈ ખબર આપી કે, ‘તારું કાર્ડ તો તારા ખિસ્સામાંથી માટીના ઢગલામાં પડેલું, તે મને જડયુ છે. કબરનું કામ મેં પૂરું કર્યું હોવાથી હવે તારે કશી ચિંતા કરવાની જરૂર નથી. તારું કાર્ડ મારા કાર્ડ ભેગું દરવાનની ઓરડીમાં નાખ્યું છે.'
એક કલાક પછી રાતના અંધારામાં બે માણસો અને એક બાળક પીના મઠેના દરવાજા આગળ આવીને ઊભાં રહ્યાં.