________________
પીને મઠ બીજે દિવસે સૂરજ આથમવા આવ્યો, ત્યારે કબ્રસ્તાનને રસ્તે એક કોફિન-ગાડી ધીમે ધીમે આગળ વધતી હતી. પોલીસધારા હેઠળ આ કબ્રસ્તાનના દરવાજા પણ રાત પડશે બંધ થઈ જતા; પણ પી૦ના મઠની સાધ્વીઓનાં શબ આ કબ્રસ્તાનમાં એક જુદા ખૂણામાં રાતે જ દાટવાની ખાસ પરવાનગી હતી. સાધ્વીઓનાં શબ દાટવા જે ઘોરખોદુઓ અંદર રહેતા, તેમને પછી મોડી રાતે પરવારીને બહાર નીકળવા માટે ખાસ પરવાના આપવામાં આવતા. બહાર નીકળવા ઇચ્છનારો માણસ પોતાનો પરવાનો દરવાનની ઓરડીના બાકામાંથી નાખે, એટલે દરવાન કકડતી ઠંડીમાં ઓરડીની અંદર રહ્યો રહ્યો એક દોરી ખેંચીને દરવાજાની બારી ઉઘાડે, જેમાંથી પેલો બહાર નીકળી જાય. પરવાના વગર અંદર રહેનાર ઘોરખોદુને બહાર નીકળવા દરવાનને ખાસ ઓળખ આપવી પડે, અને તેનો ૧૫ ફ઼ાંક દંડ થાય તે જુદો. - કબ્રસ્તાનનો દરવાજો આવતાં ફેશલā સાથે ધોરખોદુ તરીકે આવનાર મજૂર પાવડો લઈને હાજર થયો. ફોશલવે એ અજાણ્યા તરફ જોઈને બોલ્યો, “તું ભાઈ કોણ છે?
ઘોરખોદુ.” “પણ ઘોરખોદુ તો મૅસ્ટ્રીન બાપુ છે.' તેની તો ઘોર ખોદાઈ ગઈ!'
ફોશલ જાણે એમ જ માનતો હોય કે, ઘોરખોદુને તો કદી ઘોરમાં સૂવાનું હોય જ નહીં, તેમ બોલી ઊઠ્યો, “વાહ, એ તે કંઈ બને ?”
“કેમ વળી? નેપોલિયન પછી લૂઈ અઢારમો રાજા ગાદીએ આવ્યો; તેમ મૅસ્ટ્રીન પછી હું ગ્રીબિયર આવ્યો છું!'
' કોઈ માણસની છાતીની વચ્ચે તોપનો ગોળો વાગે ને તે જીવતો રહે, તો તેનું મે બુઢા ફોશલવં જેવું થાય.