________________
પીને મઠ કેમ વળી, આ હિમ પડવા માંડયું છે એટલે તરબૂચને ઢાંકું છું. અને ઘૂઘરો તો પેલીઓને ખસી જવાની ચેતવણી મળે તે માટે બાંધ્યો છે.”
કોને?'
“વાહ, આ મઠમાં માત્ર સ્ત્રીઓ જ રહે છે, અને અને ઢગલાબંધ છોકરીઓ. હું રહ્યો પુરુષ અને પુરુષ સામો મળે તો તેઓને મોટો ગજબ જ થઈ જાય ! માટે મને આ ઘંટ બાંધી રાખ્યો છે, જેથી હું પાસે છું એમ જાણી તેઓ દૂર જતાં રહે. પણ બાપુ, હવે મને કહો તો ખરા કે તમે અહીં આવી શક્યા શી રીતે? આ મઠમાં કોઈ પુરુષ આવી શકતો નથી. માત્ર હું એકલો જ અંદર રહું છું, અને બીજો છેક મોટા દરવાજા પાસેનો દરવાન.”
પણ મારેય અહીં રહેવું પડે તેમ છે.' હે! એ કેવી વાત? એ શી રીતે બને?'
શી રીતે બને, એ હું ન જાણું. પણ આજે તો તું મારો જીવ બચાવી શકે તેમ છે.” - “ભગવાનની ભારે મહેરબાની થાય, જો હું તમારું ત્રણ થોડું પણ અદા કરી શકું તો, મેડલીન બાપુ. આ ડોસાનો જીવ તમારો જ છે. એમ સમજી લો.’
“તો હું તારી પાસે બે ભીખ માગું છું. એક તો એ કે, મારે વિષે તું જે કંઈ જાણે છે, તે બાબત કશી વાત કોઈને કહેવી નહીં, તથા મારે વિષે કશું વધારે જાણવા માટે પ્રયત્ન કરવો નહીં; બીજી વાત, તારે રહેવાનું જે કાંઈ ઠેકાણું હોય ત્યાં પેલી બચીને જલદી લઈ જઈને તપાડવાની વ્યવસ્થા કર.”
હે!” હજુ એક બાળકી પણ અંદર છે?'
પરંતુ પછી તે એક શબ્દ પણ વધુ બોલ્યો નહીં. તેને ભરોસો હતો કે મેડલીન બાપુ ભગવાનના માણસ છે, અને તે જે કાંઈ કરતા હશે, તે જીવદયાનું જ કામ હશે.