________________
७४
લે મિઝરાપ્ત જ છે, તથા તે ઘર છોડીને જ નાસી જાય છે, એની તેને પૂરી ખાતરી ન હતી. તે દિવસોમાં છાપાંઓએ પોલીસો સામે પોકારી ઉઠાવી ઉડાવીને તેમને જરા બીતા કરી મૂક્યા હતા. કોઈ બુઢો પેન્શનર પોતાની દીકરી સાથે રાજમાર્ગ ઉપર ફરવા નીકળ્યો હતો, ત્યારે ક્યારનોય મરી ગયેલો જીન વાલજિન નામનો ગુનેગાર માની તેને પોલીસે પકડી લીધો, એવો આક્ષેપ પોતાને માથે આવે એની જાવટને બીક લાગતી હતી.
છતાં, રસ્તા ઉપર ચાલતી વેળા પેલા બુઢ્ઢાની હિલચાલ એવી હતી કે, તે જાણે પોલીસને થાપ આપવા જ પ્રયત્ન કરતો હોય. એટલે આ કોઈ જુદો માણસ જ હોય, તો પણ તે કોણ છે, ક્યાં જાય છે, વગેરે માહિતી તો મેળવવી જ, એમ માની જાવટે તેનો પીછો છુપાઈને પકડવા માંડ્યો.
તેવામાં એક શેરીમાં થઈને જતાં જતાં એક ખુલી દુકાનનો ઉજજવળ પ્રકાશ જીન વાલજિન ઉપર પડતાં જાવટ તેને બરાબર ઓળખી શક્યો. એ જીન વાલજિન જ હતો! તરત જાવટે પાસેની પોલીસ-ચોકીમાંથી વધુ મદદ મેળવવાની પેરવી કરી. તેમાં થોડો વખત બગડ્યો અને પેલો આગળ નીકળી ગયો. પણ જાવટને ખાતરી જ હતી કે, જીન વાલજિન ગમે તે રીતે નદીની પેલી પાર ચાલી જવા જ પ્રયત્ન કરશે. અને પુલ ઉપરના ટોલવાળાને પૂછતાં ખાતરી પણ થઈ કે, એક ડોસો અને એક છોકરી હમણાં જ ત્યાં થઈને ગયાં.
થોડે દૂર ચાર રસ્તાનું વિશાળ ચોગાન આવતું હતું. જીન વાલજિન તે ચારમાંથી એક રસ્તામાં પેઠો. એ જોતાં જ જાવટના માં ઉપર થઈને મિત પસાર થઈ ગયું. તે રસ્તો એવો હતો કે જેને આગળ એક જ માં હતું; વચ્ચે બીજી કોઈ ગલી તેમાંથી ફંટાતી ન હતી. જાવટે તરત એક માણસને ઉતાવળથી ચકરાવો લઈ રસ્તાનું માં સામેથી રોકી લેવા