________________
વટને સારજંટ હવે આપણે કોસેટની ખબર લેવા થનારડિયરની વીશી તરફ પાછા વળીએ. તે વીશીના પાટિયા ઉપર “વટલૂનો સારજંટ’ નામવાળું પાટિયું હોવાથી આપણે તરત તેને શોધી શકીએ. તે પાટિયામાં વૅટલૂના રણમેદાનનો દેખાવ આપી, સેનાપતિ જેવા દેખાતા કોઈ ઘાયલ માણસને ઊંચકીને આવતો બીજો માણસ ચીતરેલો હતો. થેનારડિયરને પૂછો, તો તે પોતાની બહાદુરીના એક બનાવ તરીકે તે ચિત્રની વાત કહી બતાવે. પણ ખરી વાત એટલી જ હતી કે, નેપોલિયન વટલૂના રણમેદાનમાં હાર્યો, તે ૧૮૧૫ના જૂતની ૧૮મી તારીખની રાતે, ઘાયલ થયેલા કે મરેલા સૈનિકોની સારી સારી ચીજો ચોરી લેવા થનારડિયર ત્યાં પહોંચ્યો હતો. તે દિવસોમાં લશ્કરી કાયદા પ્રમાણે એ જાતના ચોરોને “દેખો ત્યાંથી હાર કરો'ની જ સજા થતી.
થેનારડિયરે પોતાનું ડમણિયું દૂર ઊભું રાખ્યું હતું, તેમાં તેની પત્ની બેઠી હતી. તે પોતે લોહીનો કાદવ ખૂંદતો ખૂંદતો સાવધાનીથી મેદાનમાં આગળ વધતો હતો. તેવામાં ચંદ્રના ઝાંખા પ્રકાશમાં તેણે મડદાંના એક ઢગલામાંથી એક ખુલ્લો હાથ આગળ નીકળેલો જોયો. તે હાથની આંગળી ઉપર સોનાની વીંટી ચમકતી હતી. થેનારડિયરે નીચા નમી તે વીંટી કાઢી લીધી. પણ તે પાછો ઊભો થવા ગયો ત્યારે તેણે જોયું કે પેલો હાથ તેના કોટના છેડા સાથે ભિડાઈ ગયો હતો! થેનારડિયરે નીચા નમી જોવા માંડ્યું કે તે મડદામાં જીવ છે
૫૮