________________
વળી પાછે જન વાઢજિન તમામ મિલકત ગરીબગુરબાં માટે રિટર રિપ્લાઇસને સોંપવાનો કાગળ લખી કાઢયો; અને રિસ્ટર સિપ્લાઇસ આવતાં તેના હાથમાં મૂકી દીધો. સિસ્ટરે તે વાંચી કશુંક બોલવા પ્રયત્ન કર્યો, પણ તેના ગળામાંથી અવાજ ન નીકળી શક્યો. તે થોડી વારે એટલું બોલી શકી : “એ બિચારી દુખિયારીને છેલ્લી વાર જોવા આપ નહીં પધારો ?'
“ના, મારી પાછળ પોલીસ આવતા જ હશે, અને તેના ઓરડામાં જો હું ફરી વાર પકડાઉં, તો તે મૃતાત્માને ફરીથી આઘાત થાય.”
પણ એટલામાં તો દાદર ઉપર દોડધામ કરતાં પગલાં સંભળાયાં. ડોસી તેના ગળામાંથી નીકળે તેટલો મોટો અવાજ કાઢીને બૂમો પાડતી હતી : “ભલા સાહેબ, હું સોગંદપૂર્વક કહું છું કે, અહીં આખો દિવસ કે સાંજે કોઈ જ આવ્યું નથી.'
જાવટેનો અવાજ આવ્યો : “પણ એ ઓરડીમાં દીવો બળે છે.’
એ ઓરડાનું બારણું એવી રીતે ખૂણા પાસે આવેલું હતું કે તેને ઉઘાડે એટલે અંદરની જમણી બાજુની ભત સાથે તેનો ત્રિકોણ બની રહે. જીન વાલજિન તરત એ ખૂણામાં ભરાઈ ગયો. સિસ્ટર સિપ્લાઇસ તરત મીણબત્તીવાળા ટેબલ પાસે ઘૂંટણિયે પડીને પ્રાર્થના કરવા લાગી ગઈ.
સાધ્વીને પ્રાર્થના કરતી જોતાંવેંત જાવટે ભારે સંકોચ સાથે બારણામાં જ ઊભો રહી ગયો. સત્તા તરફ આદરભાવ એ તો જાવટંના ઘડતરનું મુખ્ય અંગ હતું. તેમાંય ધર્મસત્તાનું સ્થાન તેને મન રાજસત્તા કરતાં પણ મોટું હતું. તેણે ધીમેથી પૂછયું, “સિસ્ટર, આ ઓરડામાં તમે એકલાં જ છો?'
એક કારમી ઘડી આખા ઓરડામાં તોળાઈ રહી. સિસ્ટર સિપ્લાઇસ પ્રાણાંતે પણ જૂઠું બોલે, એ તો બને જ નહીં.