________________
લે મિઝેરાલ ડાળી, હું વહેલી સવારે આવતો હતો ત્યારે, આગલી રાતના સખત તોફાનમાં તૂટીને રસ્તા ઉપર પડેલી હતી. તે ચોરવા હું કોઈની ભીંત કૂદીને વાડામાં પેઠો નથી. કારણ કે, મને રોજ ખાવા મળ્યું હોય તેવું મારી આખી ઉંમરમાં બન્યું નથી;
એટલે પેટમાં ભૂખ હોય માટે અચાનક ચોરી કરવા જેવું કામ કરી બેસું, એ મારે માટે જરા પણ સંભવિત નથી.”
પણ ઍપમેથ્યને જવાબ આપતો તરત અટકાવવામાં આવ્યો. તેની આ બધી વાતો, તથા વહાણ ઉપરના સાથીઓને બિલકુલ ન ઓળખતો હોવાનો તેનો ઢોંગ – એ બધું તેની ચાલાકી જ ગણી લેવામાં આવ્યું.
એટલામાં મેડલીન બાપુએ પોતાની બેઠકેથી નીચે પાંજરા, પાસે આવી, વહાણ ઉપરના કેદીઓને પોતાની સામું જોવા કહ્યું. પછી તરત ન્યાયાધીશને સંબોધીને તેમણે કહ્યું કે,
આપને જે માણસ જોઈએ છે, તે આ ઍપમેથ્ય નથી; તેને તરત છોડી મૂકો. કારણ કે, જીન વાલજિન હું છું.”
સાંભળનારા સૌનો શ્વાસ થંભી ગયો. જજ સાહેબના મુખ ઉપર મૈ. મેડલીનના સ્વાથ્ય બાબતની ચિંતા અને સહાનુભૂતિની લાગણી સ્પષ્ટ છવાઈ રહી. સરકારી વકીલે તો પ્રેક્ષકોમાં કોઈ ડાકટર હોય તો નગરપતિ સાહેબની સારવાર માટે તરત દોડી આવવાની વિનંતિ કરી.
તેના જવાબમાં મેડલીન માત્ર હતાશભર્યું પણ સંતોષનું ફિકું હાસ્ય હસ્યા.