________________
૨૬
લે મિરાલ બનાવવાના મસાલામાં એકને બદલે બીજી વસ્તુ વાપરવાનું સૂઝયું. એ નાના ફેરફારથી કાચા માલની કિંમતમાં મોટો ઘટાડો થઈ ગયો; તેથી પ્રથમ તો કારીગરોના પગારમાં વધારો થઈ શક્યો. બીજું, માલની જાતમાં સુધારો થયો; એ થઈ વાપરનારના ફાયદાની વાત. ત્રીજું, માલ સસ્તો વેચાવા છતાં નફો ત્રણ ગણો વધી ગયો; એ થઈ માલ બનાવનારને ફાયદાની વાત.
ત્રણથી ઓછા વર્ષમાં તો એ નવી રીતનો શોધનાર માલદાર બની ગયો. તે આ શહેરમાં પહેલવહેલો જ્યારે આવ્યો હતો, ત્યારે તેનો પોશાક, રીતભાત અને ભાષા છેક મજદૂર જેવાં જ હતાં.
વાત એમ બની હતી કે, તે આ શહેરમાં ડિસેમ્બર મહિનાની રાતે જ્યારે ખભે ઝોયણો અને હાથમાં ગઠ્ઠાદાર દડો લઈને દાખલ થયો, ત્યારે શહેરના થાણામાં આગ લાગી હતી, આ માણસે પોતાના જાનના જોખમે આગમાં ઝંપલાવીને, અંદર સપડાયેલાં બે બાળકોને બચાવીને બહાર કાઢમાં. તે બાળકે થાણદારનાં જ હતાં. તેથી તે વખતે કોઈને તેનો પરવાનો માગવાનું સૂઝયું ન હતું. ત્યારથી તે એ ગામમાં જ રહેતો હતો અને મેડલીન બાપુને નામે ઓળખાતો હતો.
મેડલીન બાપુનો નફો એટલો મોટો હતો કે, બીજે જ વર્ષે કારખાના માટે તે એક મોટું મકાન બંધાવી શકયા. તેમાં સ્ત્રી-કામદારો માટે જુદો વિભાગ હતો. કોઈ પણ ભૂખ્યો માણસ ત્યાં આવે, એટલે તેને રોજી અને રોટી મળી રહેતાં. પણ તેનું ચારિત્ર્ય સારું હોવું જોઈએ, અને તે પ્રમાણિક હોવો જોઈએ. એટલા નિયમનું કડક પાલન કરવામાં આવતું.
મેડલીન બાપુ ખૂબ કમાયા; પણ માત્ર પૈસો એકઠો. કરવો એ જ તેમનું ધ્યેય ન હતું. પોતા કરતાં બીજાનો લાભ જ તે વધુ જોતા. જાણવા પ્રમાણે ૧૮૨૦માં લેફાઇટ બેંકમાં