________________
લે મિઝરાઇલ તેની દીવાલ તરફ દોડ્યો; વાઘની પેઠે છલાંગ મારી તેને કૂદી ગયો, અને નાઠો.
બીજે દિવસે મેંગ્લોરે બિશપને આ ચોરીના સમાચાર સંભળાવ્યા. “ભલા ભગવાન, આવા માણસને ઘરમાં પેસવા દેવો, અને બાજુના ઓરડામાં જ સુવાડવો! બાપરે, તે માત્ર ચોરી કરીને જ ગયો; નહિ તો, – મારાં તો રુવાંટાં જ ઊભાં થઈ જાય છે.” - બિશપ નાસ્તો પૂરો કરી ટેબલ પાસેથી ઊઠતા જ હતા, તેવામાં બારણા ઉપર ટકોરો પડ્યો.
“અંદર આવો', બિશપે કહ્યું.
બારણું ઊઘડયું અને એક વિચિત્ર તથા ઉશ્કેરાયેલું ટોળું તેમની નજરે પડ્યું. ત્રણ માણસો ચોથાને ગળપટા આગળથી પકડીને ઊભા હતા. તે ત્રણે સિપાઈઓ હતા, અને ચોથો જીન વાલજિન હતો.
બિશપ સાહેબ કાલ રાતના પોતાના મહેમાનને જોઈ ઝટ આગળ દોડી આવ્યા.
“વાહ ભાઈ !” તેમણે મુંજીની પેઠે નીચે મેએ ઊભેલા જીન વાલજિન તરફ જોઈને કહ્યું, “પેલી રૂપાની દીવાદાનીઓ પણ મેં તમને આપી દીધી હતી; વાસણ સાથે તે પણ કેમ ન લેતા ગયા?'
જીન વાલજને આંખો ઉઘાડી બિશપ સામે એવી નજરે જોયું કે જેનું વર્ણન માનવ ભાષામાં થઈ શકે તેમ નથી.
નામવર', જમાદાર બોલ્યો. ત્યારે તો આ માણસ કહેતો હતો તે સાચી વાત છે? અમે તેને ચોરી કરીને જાણે ભાગી જતો હોય તેમ રસ્તા ઉપર થઈને જતો જોયો, એટલે પકડ્યો. તેની પાસે આ વાસણ હતાં.”
બિશપ વચ્ચે જ બોલી ઊઠ્યા, “અને તેણે તેમને કહ્યું કે, એક ઘરડો પાદરી કે જેને ત્યાં તે રાતવાસો રહ્યો હતો