________________
'૧૭૨
લે મિઝરાઇલ માત્રે જાણવું છે. ત્યારે મેં કહ્યું કે, તમે સાથે રહેવાના હો, તો હું તેથી પણ ઓછા ફૂાંક ઉપર જીવવા તૈયાર છું.”
જીન વાલજન સમજી ગયો કે હવે તે અહીં ન આવે એમ જ મેરિયસ ઇચ્છે છે; તથા તેણે કોસેટને આપેલા છે લાખ ફાંક પણ કોઈ ગુનાના જ પૈસા હોય એવો તેને વહેમ છે, એટલે તે પૈસાને તે અડવા પણ નથી માગતો. :
જન વાલજિન દુઃખી થઈને ચાલ્યો ગયો. બીજે દિવસે ને કોસેટને મળવા ન ગયો. ત્યાર પછીને દિવસે પણ તે ન ગયો.
કોસેટે ત્યાર બાદ પૂછવા નોકર મોકલ્યો કે ગઈ કાલે કેમ નહોતા આવ્યા? : "
જન વાલજને કહ્યું, “હું બે દિવસથી નથી આવ્યો! હું વચ્ચે વચ્ચે લાંબી મુસાફરીએ જાઉં છું, એ તારાં બાનસાહેબ જાણે છે. મારી તબિયત સારી છે, કહેજે કશી ચિંતા ન કરે.'
પણ નોકરનેય જીન વાલજિનના “હું બે દિવસથી નથી આવ્યો’ એ શબ્દોનો કશો ખાસ અર્થ ન લાગ્યો. પણ જીન વાલજિને એ શબ્દો બોલવામાં કેટલું બધું દુ:ખ વ્યક્ત કર્યું હતું? પોતે કેટલા દિવસથી મળવા નથી આવ્યો તેનો ખ્યાલ પણ કોસેટને હવે રહ્યો નથી!
જીન વાલજિન હવે રોજના વખતે પોતાના ઘેરથી કોસેટના ઘર તરફ જવા નીકળતો ખરો, પણ અધવચથી જ પાછો આવી જતો. છેલ્લા થોડા વખતથી જીન વાલજિન હવે કોસેટને મળવા આવવાનું બંધ કરે એમ જ મેરિયસ ઇચ્છતો હતો. તેમ કરવાનું તેને એક નવું કારણ મળ્યું હતું. વકીલાતના એક કેસમાં તેને લેફાઈટ બેંકના એક માજી હિસાબનીસની સાથે કામ પડ્યું હતું. તે દરમ્યાન તેને કોસેટના છ લાખ ફ્રાંક બાબત કંઈક માહિતી મળી હતી, જેની તે પૂરી તપાસ કરી શક્યો ન હતો. તે માહિતી ઉપરથી તેને એટલી ખાતરી