________________
હૈ મિઝેરામ્હ
વ્યવસ્થાપક એ હુકમ સાંભળી આભો જ બની ગયો. પરંતુ બીજે જ દિવસે ૨૬ ગરીબ દરદીઓની પથારીઓ ધર્માચાર્યના મહેલના ભવ્ય ઓરડાઓમાં ગોઠવાઈ ગઈ. તેના ભવ્ય બગીચામાં બેસી, દરદીઓ નિરાંતે તડકો ખાવા લાગ્યા.
માં. મિરેલને ધર્માચાર્ય તરીકે રાજ્ય તરફથી પંદર હજાર ફ઼ાંકની રકમ* મળતી હતી. જે દિવસે મોં, મિ૨ેલે ઇસ્પિતાલના મકાનમાં ઘર બદલ્યું, તે જ દિવસે તેમણે પોતાના ઘરખર્ચ માટેનું અંદાજપત્ર તૈયાર કરી દીધું. તેનું નામ હતું ઘરખર્ચ; પરંતુ એક હજાર ફ઼ાંક જેટલી રકમ ઘરખર્ચ માટે બાદ કરતાં, જુદી જુદી કેટલીય રકમો કેળવણી, ગરીબ-રાહત, કેદી-રાહત, સ્ત્રી-વિકાસગૃહ વગેરે સંભાળતી ધર્માદા સંસ્થાઓની મદદ માટે લખી દીધેલી હતી !
બિશપે પોતાના ઘરના બારણાને નકૂચો કે સાંકળ રહેવા દીધાં ન હતાં. તે કહેતા કે, ‘વૈદના ઘરનું બારણું કદી બંધ ન કરવું જોઈએ; અને પાદરીના ઘરનું બારણું હંમેશ ઉધાડું રહેવું જોઈએ.’
શરૂઆતમાં તો સ્ત્રીઓ એ સદા-ઉધાડા બારણાથી ગભરાઈ હતી; પણ છેવટે બિશપની શ્રદ્ધામાં તેઓ પણ ભાગીદાર બની. વળી, ઘરમાં ચોરી જવા જેવું હતું પણ શું? જોકે, એક વાત કબૂલ કરી દેવી જોઈએ કે, જૂની મિલકતમાંથી છ ચાંદીની તાસકો, એક મોટો ચમચો, અને દાદીમાના સંભારણાની રૂપાની બે દીવીઓ એટલાં વાનાં હજુ બાકી હતાં. ચાંદીનાં વાસણો રોજ વાપરીને બિશપના સૂવાના ઓરડામાંના એક હાટિયામાં મૂકવામાં આવતાં. પણ તે હાટિયાની કૂ ંચી તાળામાં જ રહેતી, દીવીઓનું સ્થાન અભરાઈ ઉપર હતું.
મૅગ્લોઇર ડેાસી આજે સાંજના કાંઈક ખરીદવા શહેરમાં ગઈ હતી. ત્યાંથી એક ભયકર ભામટો શહેરમાં આવ્યાની *આશરે ૮૯૦૦ રૂપિયા.
ત