________________
એકરાર
આવતાં તે તરત ઉતાવળો મોં. જીલેનોર્મન્ડને ઘેર આવ્યો. તેણે દરવાનને કહ્યું, “મારું નામ દીધા વિના, તું મેરિયસ સાહેબને, કોઈ મળવા બોલાવે છે એમ કહી, નીચે તેડી
લાવ.'
જન વાલજિનને જોતાં મેરિયસ બોલી ઊઠ્યો, “વાહ બાપુજી, તમે આ રીતે મને અહીં બોલાવ્યો! કાલે જમતી વખતે તમે ગેરહાજર હતા, તેથી મને અને કેસેટને કેટલી ચિંતા થઈ. તમારે હાથે હવે કેમ છે? કોસેટ હવે તમને ભાગ્યે જ અહીંથી જવા દે. કાલે તમે બારોબાર ચાલ્યા ગયા, એની કેવીય કપરી સર તમારે કોસેટને હાથે વેઠવાની થશે, એ હું ન જાણું !”
જન વાલજિને એકાંત જોઈ એટલો જ જવાબ આપ્યો: “સાહેબ, હું સજા પામેલો ગુનેગાર છું. મારા હાથને કંઈ થયું નથી; પણ તમારા જીવનના આવા પવિત્ર અને મોટા પ્રસંગે મારે જાણીબૂજીને હાજર ન રહેવું, એવા વિચારથી જ હું ગેરહાજર રહ્યો હતો, અને હવેથી પણ રહીશ.'
આટલું કહી તેણે અંગૂઠા ઉપરનો પાટો છોડી નાખ્યો.
મેરિયસ તે જોઈ તોતડાતો એટલું જ બોલ્યો : “આનો શો અર્થ?”
“અર્થ એટલો જ કે, હું વહાણ ઉપર કેદની સજા પામેલો ગુનેગાર છું. મેં ૧૯ વર્ષ ત્યાં ગાળ્યાં છે. ત્યાર બાદ બીજા ગુના માટે મને જન્મટીપની સજા થઈ છે, પરંતુ હું નાસી છૂટ્યો છું અને સંતાતો ફરું છું.” ' મેરિયસને આ સાંભળી કંપારી આવી ગઈ. “પણ તમે કોસેટના સગા છો ને?”
, “ના સાહેબ. હું ફેવ૦નો કંગાળ ખેડૂત છે, અને કઠિયારાનો ધંધો કરતો હતો. મારે અને કોસેટને જરા પણ સગપણ નથી. દશ વર્ષ ઉપર તેના અસ્તિત્વની પણ મને