________________
લે સિઝેરાલ્ડ , તેણે જદી જુદી રીતે એ બંનેની ખૂબ તપાસ કરાવવા માંડી. થેનારડિયર વિષે એટલી ખબર મળી કે, તેની પત્ની જેલમાં જ મરી ગઈ હતી. થેનારડિયર પોતે જેલમાંથી નાસી છૂટયો હતો. તેની નાની દીકરી જીવતી હોઈ શકે પણ બાપદીકરી બંને ક્યાં હતાં તેનો પત્તો લાગતો ન હતો. મોટી દીકરી એપોનીન તો મોરચામાં મરી ગઈ હતી, એ મેરિયસ પોતે જ જાણતો હતો.
પોતાને બચાવનાર અજ્ઞાત માણસ અંગે ઘોડાગાડીવાળા પાસેથી એટલી જ માહિતી મળી કે એક પોલીસ અધિકારીએ તેની ગાડી સીન નદીના જમણા કિનારે ઊભી રખાવી હતી અને પછી એક માણસ કે ઈ મરેલા માણસ જેવાને ઉપાડીને ઘોડાગાડીમાં લાવ્યો હતો. પછી તે બંને જણા ઘોડાગાડીમાં બેસીને અહીં આવી તે મડદાને મૂકી ગયા હતા. ત્યાર પછીની તે બેની કશી વાત કઈ જાણતું ન હતું. પણ નવાઈની વાત એ હતી કે મેરિયસ તો રુદ-લ ચાનવેરીની શેરીમાં ઘાયલ થઈને પડ્યો હતો, તો પછી સીન નદીના કિનારે તે કયાંથી આવ્યો? સુરંગમાં થઈને? કોણ એ ભયંકર ભૂગર્ભમાં થઈને તેને ઊંચકીને નદી ઉપર સહીસલામત લઈ આવ્યું?
. એક દિવસ, પોતાને બચાવનાર તે માણસને શોધી કાઢવા પોતે કરેલા પ્રયત્નની વાત મેરિયસ કોસેટ અને જીન વાલજિનને કહી બતાવતો હતો. તે વખતે જીન વાલજિને માં. ઉપર જે ઠંડી ઉપેક્ષા જેવો ભાવ ધારણ કરી રાખ્યો હતો. તે, જોઈ મેરિયસને ખોટું લાગ્યા જેવું થયું. તે જરા તપી જઈને બોલી ઊઠડ્યો : “ભલે બધા ગમે તે કહે કે માને; પણ તે માણસે જે મહેનત લીધી છે અને જે જોખમ ઉઠાવ્યું છે, તે વિચારીને હું ગળગળો થઈ જાઉં છું. કેસેટના ૬ લાખ કૂક જો મારા હોય, તો હું –'