________________
સરચા પડયો
૧૫
ગલીમાં લઈ જઈ, જીન વાજને જાવને કહ્યું, જાવ, મને ઓળખ્યો ?’
་
‘તારું વેર લઈ લે ! બરાબર છે.' જાવટ જવાબ આપ્યો. જીન વાલજિને ખિસ્સામાંથી ચાકુ કાઢયું. જાવ તે જોઈને બોલ્યો : ‘તારા જેવા ડાકુને એ જ છાજે! ભલે તું મને એના વડે મારી નાખ.'
જીન વાલજિને એ ચાકુથી જાવના બધા બંધ કાપી નાખ્યા. અને પછી તેને કહ્યું, જા, તું છૂટો છે!' નવ ચોંકીને ઊભો રહ્યો.
જીત વાજિને કહ્યું, ‘હું આ મોરચામાંથી જીવતો છૂટવાનો નથી; પરંતુ કદાચ હું બચી જાઉં, તો હું ફાશલોઁના નામથી નં. ૭, રૂ-દ-લ' હામ આર્મીમાં રહું છું.'
જાવ જવાબમાં માત્ર ઘૂરકયો, અને તે સરનામું યાદ રાખવા ફરી બોલી ગયો. બે ડગલાં ગયા પછી તે પાછો ફર્યા અને બોલ્યો, તેં મને મારી નાખ્યો હોત, તો જ સારું નહોતું ?'
"
જીન વાલ્ટેજને માત્ર કહ્યું : ‘ભલો થઈને ચાલતો થા.’ એક ક્ષણ બાદ જીન વાલજને હવામાં પોતાની બંદૂકનો બાર કર્યો. મેરિયસ દૂરથી એ અવાજ સાંભળીને પણ ચોંકી ઊઠયો. જાવને જીન વાજિન ચાહીને મારવા લઈ ગયો, તે તેને ગમ્યું ન હતું.
જીન વાજિને મોરચામાં પાછા આવી કહ્યુ', બધું પતી ગયું.'
પણ ક્ષણ વારમાં તો સરકારી સૈનિકોનો વ્યવસ્થિત ધસારો શરૂ થયો. ગોળીબારથી બળવાખોરોની આગલી હરોળ તરત તૂટી પડી. સૌ હવે મકાનનો આશરો લેવા નાઠા, નાયક ૯૦ – ૧૦