________________
૧૩૬
લે મિઝરાષ્પ ચિઠ્ઠી લખી ટપાલમાં નાખવા તૈયાર કરી. પણ પછી બીજો કશો ચારો ન જોતાં, વાડના સળિયા બહાર ફરતી અજાણી એપોનીનને પાંચ ફૂાંક મહેનતાણાના આપી, કાગળ ટપાલમાં નાખી દેવા ગુપચુપ આપી દીધો. તેણે ટપાલમાં તે ન નાખ્યો.
એપોનીન બીજે દિવસે મેરિયસને શોધતી કોર્ફોરાકને ત્યાં ગઈ, ત્યારે તેને બળવો શરૂ થવાની, અને ક્રાંતિકારીઓએ જમાવેલી મોરચાબંધીની ખબર પડી. વિરોધી બનેલા બાપના હાથે પોતાનું મોત જ્યારે ત્યારે નિશ્ચિત ગણી, તથા કેસેટ તરફ આકર્ષાયેલા મેરિયસનો પ્રેમ પોતાને મળવો અશક્ય ગણી, એપોનીને એ મોરચાબંધીમાં જ ખપી જવાનો નિશ્ચય કર્યો. પણ સાથે સાથે કેસેટના સુખની ઈર્ષાથી પ્રેરાઈને તેણે મેરિયસને પણ એ મોરચાબંધીમાં ઘસડી લાવવાનો વિચાર ર્યો. તેને ખાતરી હતી કે મેરિયસ તે રાતે કોસેટને મળવા રુપ્લિમેટ તરફ જવાનો જ; એટલે તે ત્યાં ગઈ અને કોસેટને ન જોવાથી હતાશ થયેલા મેરિયસને મોરચાબંધીમાં મિત્રોનું નામ દઈ ખેંચી લાવી..
કેસેટની ચિઠ્ઠી વાંચીને મેરિયસને પણ ચિઠ્ઠી લખી આખરી વિદાય લેવાનો વિચાર આવ્યો. બેવોચનું ઓળખાણ એપોનીને હમણાં જ કરાવ્યું હતું. થેનારડિયરના છોકરાને આ મોરચાબંધીમાંથી દૂર કરી બચાવી લેવાય તો સારું, એમ વિચારી તેણે કોસેટ ઉપર નીચે મુજબ ચિઠ્ઠી લખી કાઢીને તે આપવા ગેડ્રોચને મોકલવાનો વિચાર કર્યો: “આપણું લગ્ન અશક્ય હતું, મારા દાદાએ ના પાડી. કારણ, મારી પાસે પણ મિલકત ન હતી, અને તારી પાસે પણ ન હતી. હું તારે ઘેર દોડી ગયો, પણ તું ત્યાં ન હતી. મેં તને કહ્યું હતું કે, તું જશે એટલે હું જરૂર મરવાનો. હું તે વચન પાળું છું – અહીં હવે મોરચામાં ગમે ત્યારે આખરી હુમલો થવા વકી છે: હું