________________
ડાક પાછળ
૧૨૭ સૌ ચાલ્યા ગયા. મેરિયસ અને કોસેટ અંદર બેઠાં હતાં, તેમને આમાંથી કશાની ખબર ન હતી. પરંતુ તે બંને પણ જુદે જ કારણે દુ:ખી દશામાં હતાં. કોસેટ મેરિયસને કહેતી હતી કે, “મારા બાપુ એકાદ અઠવાડિયામાં ઇંગ્લંડ ચાલ્યા જવા માગે છે, અને તેથી આજે અમે સૌ અમારાં કપડાં-લત્તાં બાંધવા મંડયાં છીએ.”
મેરિયસને આ સમાચાર સાંભળી પોતાની આખરી ઘડી નજીક આવી ગયેલી લાગી. તેણે ત્યાં ને ત્યાં કેસેટને હાથ પકડી, ઘૂંટણિયે પડી, પોતાની ભીષણ પ્રતિજ્ઞા જાહેર કરી કે, કોસેટ ઇંગ્લંડ જશે તેની સાથે જ તે પોતે ગમે તે રીતે આત્મહત્યા કરશે. કોસેટ એ સાંભળી એકદમ આભી થઈ ગઈ.
મેરિયસ અને કોસેટ બંને દુ:ખના ભાર નીચે દબાઈ ગયાં હોય તેમ થોડી વાર ચૂપ થઈ ગયાં. પછી કંઈક વિચાર આવતાં મેરિયસ બોલ્યો, “કોસેટ, આવતી કાલે તું મારી રાહ ન જોતી. હું પરમ દિવસે રોજની જેમ મળવા આવીશ.'
પણ કાલે નહીં કેમ આવો?' તને પછી ખબર પડશે.’
પણ તમે એક દિવસ ન આવો એ કેમ ચાલે? એ તો અશકય.’
નહીં કોસેટ, એક દિવસનો ભોગ આપણે આપીએ; કદાચ તેથી આખી જિંદગી ભેગા રહેવાનું આપણને મળી જાય! એ માણસ કોઈને સાંજ પહેલાં મળતો જ નથી, એટલે કાલે મારાથી નહીં જ આવી શકાય.”
કયો માણસ?'
એ બધું તને પરમ દિવસે કહીશ. પણ દરમ્યાન કંઈક જરૂર પડે, તો હું મારું સરનામું અહીં ભીંત પર કોતરી રાખું છું. તે મારા મિત્ર કોર્ફોરાકનું ઠેકાણું છે : નં. ૧૬, રૂ-દ-લવેરીરી.'