________________
લે સિઝેરા પણ મેરિયસની આ ગેરહાજરીઓ તથા તેના સ્વભાવમાં પડતા જતા ફેરફારથી ધીમે ધીમે તેના દાદા કંઈક ચિતામાં પડયા. એક વખત તેવી ત્રણ દિવસની ગેરહાજરી પછી મેરિયસ વહેલી સવારે પેરીસ પાછો આવ્યો. પિતાની કબર પાસે બે રાતોના ઉજાગરાથી તેને થાક લાગ્યો હતો. તેથી તરવાના કુંડમાં નાહવા જવા તે પોતાનું માદળિયું અને કોટ પથારી ઉપર નાખી, ચાલ્યો ગયો.
તેના દાદા તેના આવ્યાનો અવાજ સાંભળી તેને મળવા થોડી વાર બાદ ઉપર આવ્યા. ત્યારે તેમને મેરિયસ નહીં પણ તેનું માદળિયું અને કપડાં જોવા મળ્યાં. તેમણે માદળિયામાંની ચિઠ્ઠી તથા ખિસ્સામાંનાં કાર્ડ વાંચી જોયાં અને તેમને બધું સમજાઈ ગયું.
મેરિયસ પાછો આવ્યો એટલે તેમણે ગુસ્સામાં આવી તેને સંભળાવી દીધું, “બદમાશ કુત્તા ! મારા ઘરમાંથી નીકળ, હરામજાદા:”
મેરિયસ ઘર છોડીને ચાલતો થયો.
ક્યાં જવું, તે એ પોતે જ જાણતો ન હતો. રસ્તામાં તેની કોલેજનો એક સહાધ્યાયી લેઇગલ તેને મળ્યો. આગલે દિવસે કોલેજમાં મેરિયસ ગેરહાજર હોવાથી તેના નામ વખતે.
હાજર” એમ બોલતાં તે પકડાયો હતો, અને તેને કોલેજમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. તે વાત સાંભળી મેરિયસને તેના તરફ સહાનુભૂતિ પેદા થઈ. લેઇગલ એ. બી. સી. મિત્રમંડળ નામના એક ક્રાંતિકારી યુવક મંડળના સભ્ય હતો. એન્જોલરસ, કોમ્બીફેર, કોર્ફોરાક વગેરે તે મંડળના આગેવાનો હતા. તેઓ
એક હોટલમાં ગુપચુપ મળતા તથા ચર્ચાઓ કરતા અને ક્રાંતિની યોજનાઓ ઘડતા. લેઇગલ મેરિયસને એ મંડળમાં લઈ ગયો. તે મિત્રમંડળની થોડીઘણી મદદ તથા સલાહથી મેરિયસ કોઈ બુકસેલરને ત્યાં કામે રહ્યો. તે બુકસેલર વિશ્વકોષ