________________ “પાપ તારાં સંભાળ !" 45 જહાજ અત્યારે ક્યાં હતું ? ઘંટને અવાજ સંભળાયાથી તેઓ બીન્યા હતા; પણ હવે તે અવાજ ચૂપ થવાથી તેઓ ઊલટા વધુ ગભરાયા. કારણ કે અંધારામાં તેઓ કઈ તરફ ઘસડાઈ રહ્યા હતા, તે જાણવાનું તેમની પાસે કશું જ સાધન ન હતું. ઉપરાંત પવન ફરી પાછો ઊપડ્યો હતો. અત્યારે તેઓ જાણે ઊંડી કરાડમાં ભૂસકે મારી રહ્યા હોય તેવી તેમની સ્થિતિ હતી. અચાનક બરફના ધૂમસ વચ્ચે એક બાજુથી પ્રકાશ આવતા તેમને દેખાયો. તે કાસ ખડકો ઉપરની દીવાદાંડીને પ્રકાશ હતો. એ દીવાદાંડી રાજા હેનરી પહેલાએ બંધાવી હતી, અને જૂની ગામઠી ઢબની હતી. જે જહાજ સારી સ્થિતિમાં હોય, અને સુકાનીના નિયંત્રણમાં હોય, તેને એ દીવાદાંડી સાવચેતીરૂપ હોઈ, આસપાસના ખડકેથી દૂર ખસી જવા માટે ચેતવણીરૂપ હતી. પરંતુ જે જહાજને સુકાન નથી તથા સુકાની નથી, કે હંકારવાનું બીજું કશું સાધન નથી, તેવા જહાજને તો તે મેતના વિકરાળ ઉઘાડા માં રૂપ જ ગણાય. કારણ કે, એ દીવાદાંડી ભયથી દૂર ખસી જવાની ચેતવણું રૂપ રહેવાને બદલે ઊલટું મોત કેટલું નજીક છે, એ જણાવનાર નિશાની જ બની રહે. આ સ્થિતિમાં સામે આવતા મોતને ક્ષણે ક્ષણે નજરે નિહાળ્યા સિવાય બીજું શું કરવાનું હતું ? “મેટુટિના દૂકરના મુસાફરો એ પરિસ્થિતિ ગાભરા બની જોઈ રહ્યા. તેઓમાંની એક બાઈ તો જોરથી માળા ફેરવવા મંડી ગઈ મુસાફરોને મુખિયે જ કંઈક વહાણવટે જાણતો હોવાથી, આખા વહાણને કપ્તાન પણ બની રહ્યો હતે. ધીમે ધીમે દીવાદાંડીવાળો ખડક એટલે નજીક આવી ગયે કે, ઉપરની દીવાદાંડી દેખાતી બંધ થઈ ગઈ. મુખિયાએ બૂમ પાડી, “કઈ માણસને તરતાં આવડે છે ?"