________________ લાફિંગ મૅન માલિક પણ. માણસને આમ વેચવો એમાં તે વખતે કશું અજુગતું મનાતું ન હતું. તેમને રાજવી પિતાના પ્રજાજનોને ઇંગ્લેંડના રાજાને વેચતો; ઈંગ્લેંડને રાજા તેમને ખરીદી અમેરિકામાં કતલ ચલાવવા મોકલતા. ઇંગ્લંડમાં મનમાઉથના કરુણ સાહસ પછી સંખ્યાબંધ લૉર્ડ લેકે અને ઉમરાવોની કતલ ચલાવવામાં આવી હતી. રાજા જેમ્સ બીજાએ એ લોકોની વિધવા અને અનાથ સંતાને પિતાની પત્નીને બક્ષિસ આપી દીધાં. રાણીએ તે બધાં વિલિયમ પેનને વેચીને પૈસા ઊભા કર્યા. તેમાંથી રાજાને થોડું કમિશન અવશ્ય મળતું. પિન એ સ્ત્રીઓને પોતાના દેશના વેરાનને વસ્તીભર્યું કરવા ખરીદત. ટુઅટવંશી રાજાઓના સમયમાં ઈંગ્લેંડમાં આ પ્રેશિકે લેકે રાજદરબારના તિરસ્કૃત લેકે નહોતા. જરૂર પડવે ઊલટે તે લોકોને ઉપયોગ રાજા તરફથી કરાતે. એ જમાનામાં ઉડ કે ભારરૂપ બનતાં ઉમરાવ કુટુંબને વિચ્છેદ કરી નાખવાની, કૌટુંબિક જોડાણો ટૂંકાં કરી નાખવાની, વારસદારોને અચાનક દબાવી દેવાની, કે કુટુંબની એક શાખાને છેદ કરી બીજીને વધવા દેવાની જરૂર પડતી, ત્યારે કપ્રેશિક લેકે બહુ મદદરૂપ નીવડતા. કતલ કરી નંખાવવી એના કરતાં કદરૂપે કરી ન ઓળખાય તેવો બનાવી મૂક, એ વધુ સારું ગણાય. કેટલાયન માં ઉપર લોખંડી મહેરાં જડાવી દેવામાં આવતાં; પરંતુ એ બહુ આકરો ઉપાય ગણાય. ઉપરાંત, આખા યુરેપને લેખંડી મહોરાંવાળા લેકેથી ભરી કાઢ એ પણ અવ્યવહારુ વસ્તુ ગણાય; ત્યારે શેરીઓમાં કદરૂપાં કે અપંગ બનાવેલા માણસે ભીખ માગતાં રખડ્યા કરે, એમાં કશી નવાઈ ન ગણાય. વળી, લખંડી મહોરું તો ઉતારી પણ નંખાય; ત્યારે ચામડીમાં ને સ્નાયુમાં કરેલા ફેરફારો રદ શી રીતે કરી શકાય ? તમારા જ ચહેરાનું તમને મહોરું પહેરાવી દેવું, એના જેવી સલામત રીત બીજી કઈ હોઈ શકે ? અને