________________ કરાંના વેપારી કલીવલેન્ડ એક બ્રાઝિલિયન માંકડાને જ છોકરાને પોશાક પહેરાવી અનુચર તરીકે રાખતી; બેરનેસ ડડલી, રાજ્યની આઠમી ઉમરાવબાનું ગણાતી, તેને ત્યાં જરીને પોશાક પહેરેલું માંકડું જ ચા પીરસતું; કાઉન્ટસ ઓફ ડોરચેસ્ટર પાર્લામેન્ટમાં પિતાની બેઠક લેવા જતી, ત્યારે તેના કોચની પાછળ વર્દી પહેરેલાં ત્રણ વાંદરાં ઊભા રહેતાં. અર્થાત માણસને વાંદરે બનાવવાના બદલામાં વાંદરાંનાં માણસ પણ બનાવી લેવાતાં. તે વખતના મોટેરાઓને એવો મને વૈભવ હતો. પણ માણસને બદલવો હોય તે તેને કદરૂપો જ બનાવી શકાય. ઈશ્વરે તેના ચહેરામાં જે કંઈ દેવીપણું મૂક્યું હોય, તેને બગાડી જાનવરપણું આરોપવા માટે વાઢકાપનું એક ખાસ શાસ્ત્ર શેધાયું હતું, અને તે શેધી આપનારે એક સાધુ હતું. વાઢકાપથી માનવપ્રાણીઓને જીવનભરની અસહ્ય યાતનામાં મૂકવામાં આવતાં, જેથી તવંગરોને ક્ષણભર સુખ થાય ! માણસોની ઘડેલી એ વિચિત્ર આકૃતિઓની માગ ઘણું મોટી " હતી; અને તે જ પ્રમાણમાં તેમનું ઘડતર પણ મોટા પ્રમાણમાં ચાલતું. સુલતાનને પોતાના જનાનખાનાની ચોકી માટે એ ઘડતર જોઈએ, અને પોપ લેકને પોતાની પ્રાર્થનાઓ કરાવવા ! તે જમાનામાં લેકે જે વસ્તુઓ બનાવી જાણુતા, તે બનાવતાં હવે આપણને નથી આવડતું. તે લેકમાં જે આવડતો હતી, તે હવે આપણામાં નથી રહી. સત્તરમી સદીના છોકરાંઓના વેપારને એક ખાસ હુન્નરની મદદ હતી. પેલા કોંગ્રેશિક લોકો આ વેપાર ચલાવતા અને આ હુન્નર પણ જાણતા. તેઓ છેકરાને ખરીદતા, તેમનાં શરીર ઉપર કળાકારીગરી કરતા અને પછી તેમને વેચી નાખતા. અને તેમને છોકરાંને કાચો માલ પૂરો પાડનાર વર્ગ કયો હતો ગરીબ કંગાળ બાપ પણ પોતાના કુટુંબને વેચતો, તેમ જ ગુલામને