________________ લાફિંગ મેન અને આ લેકે છોકરાંનું શું કરતા ? કેમ વળી, - તેમના માઝા ઘડતાઃ લેકેને હસાવવા સારુ. લેકેને હસવા જોઈએ; અને રાજાઓને પણ હસવા જોઈએ. શેરીનાં ચકલાઓમાં જેમ મશ્કરો, તેમ રાજદરબારમાં વિદૂષક. માણસને જાત મનરંજન માટે જે પ્રયત્ન કરે છે કે જે ઉપાયે લે છે, તે લિસૂફેએ વિચારવા જેવા છે. આ શરૂઆતનાં પાનાંમાં આપણે “સુખીઓ દ્વારા થતે દુઃખીએનો ઉપયોગ” એ નામના ભયંકર પુસ્તકનું એક પ્રકરણ ઉતારવાના છીએ. | નાના બાળકને રમકડા તરીકે ઉપયોગ જગતમાં એક જમાનામાં થયો છે. આજે પણ એ ઉપયોગ નથી થતું એમ ન કહેવાય. પરંતુ સત્તરમા સૈકામાં તે એ ઉપયોગ એક ઘાતકી ઉદ્યોગ-ધંધાનું નિમિત્ત બન્યું હતું. માનવને ઘડીને તેનું સફળ રમકડું બનાવવું હોય, તે તેને કુમળી વયમાં હાથ ઉપર લે જોઈએ. સીધું બાળક શું મનોરંજન આપી શકે ? તેથી તેને અષ્ટાવક્ર બનાવવું જોઈએ, કે કિંગુજી બનાવવું જોઈએ ! અને તેથી એ અંગેની એક કળા જ અસ્તિત્વમાં આવી. જ્યાં ઈશ્વરે આંખ મૂકી હતી, ત્યાં તેઓએ ત્રાંસ બનાવી. જ્યાં ઈશ્વરે સુસંવાદિતા મૂકી હતી, ત્યાં તેઓએ વિસંવાદિતા ઊભી કરી. જ્યાં ઈશ્વરે પૂર્ણતા ઊભી કરી હતી, ત્યાં તેઓએ અપૂર્ણતા આરોપી. એ બાબતનું એક આખું વિજ્ઞાન જ અસ્તિત્વમાં આવ્યું, એમ કહેને! માણસ હંમેશાં ઈશ્વરની કારીગરીમાં ઉમેરો કરવા માગે છે. તે તેના સર્જનને જુદુ સ્વરૂપ આપે છે; કઈ વાર સારા માટે તે કઈ વાર ભૂંડા માટે. રાજદરબારને વિદૂષક, એ માણસે પાછી વાનરચેષ્ટા ધારણ કરવાને જ પ્રયત્ન નથી ? સાથે સાથે વાનરને માણસ જેવો બનાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો છે. ડચેસ ઓફ