________________ ઉસસ અને કરડવાને બદલે માત્ર ઘરઘુરાટ કરવો છે.. સામેથી વરુએ પણ પિતાની આવડતો માણસને શીખવી હતી - છાપરા વિના ચલાવવું, રોટી વિના ચલાવવું, અગ્નિ વિના ચલાવવું, અને મહેલની ગુલામી કરતાં જંગલની ભૂખ વધુ પસંદ કરવી, ઇ. કોટડીને ચાર પૈડાં હતાં અને તે હલકા પણ મજબૂત લાકડાની બનાવેલી હતી. આગળની બાજુ તેને એક કઠારો તે –ત્યાં ઊભો રહી ઉસ ભાષણ આપી શકતો; અને પાછળની બાજુ આખું બારણું હતું, પણ તેમાં ખસેડી શકાય તેવી નાની બારી હતી. મિજાગરા ઉપર ઊંચાં થતાં પગથિયાં નીચે નમાવી દીધાં કે તરત અંદર ચડવાને રસ્તે થઈ જાય. આગળની બાજુએ જડેલી એક તખતી ઉપર નીચે લેખા લખેલા હતા, પણ તે હવે ભૂંસાઈ જવા આવ્યો હતો દર વર્ષે તેનું ઘસારાને લીધે ભાગ જેટલું ઘટે છે. એટલે આખી દુનિયામાં 1,40,00,00,000 સેનામહોરો ચલણમાં રહેતી હોય એમ માનીએ, તે 1,00,00,000 સેનામહોરો ઘસાઈને વરસોવરસ રજકણું બની જાય છે તથા શ્વાસેચ્છવાસમાં ભળી માણસેના અંતરાત્માઓ ઉપર વજનરૂપે જામે છે. તવંગરોના અંતરને તે તુમાખીભર્યું બનાવે છે અને ગરીબના અંતરને વિકરાળ.” સારું થયું કે આ લેખ ભૂંસાઈ જઈ ન વંચાય તેવો બની ગયા હતા. નહિ તે શ્વાસમાં જતા સોનાની આ ફિલસૂફી ઉર્સસ માટે જોખમકારક બની રહેત. તે વખતને અંગ્રેજ કાયદે આવી બધી બાબતોને રમતમાં ગણી કાઢતો ન હતો. પરંપરાથી ન્યાયાધીશો હિંસ બની ગયેલા હતા અને ન્યાય ચૂકવો એટલે જલ્લાદનું કામ કરવું એવો જ અર્થ થતા હતા. કોટડીની અંદર ભીંતના એક ધળેલા પાટિયા ઉપર એક લાંબે લેખ શાહીથી લખેલો હતો. તેમાં ઉમરાવ-અમરના જુદા જુદા