________________ ઉમરાવ–સભામાં 253 અને તરત જ કહેનારે પાર્લમેન્ટના કારકુનને નિશાની કરી પાસે બોલાવ્યો અને પોતે કરેલી વાતની સચ્ચાઈની ખાતરી કરી આપી. બીજે ઠેકાણે એક ઘરડા ઉમરાવને જુવાન ઉમરાવ પૂછતો હતો:“તમે લોર્ડ લિનિયસ ક્લન્ચાલને જોયેલા ?' “પહેલાંના વખતમાં ? હા.” ' જે સ્વિટ્ઝર્લેન્ડમાં મરી ગયા તે ?" હા, હા. બરાબર ઓળખું છું, એટલું જ નહિ, અમે તો સંબંધી પણ થઈએ.” “તે ક્રોમવેલના રિપબ્લિકન પક્ષમાં જોડાયા હતા, અને પછી રાજા ચાર્લ્સ બીજાના વખતમાં પણ રિપબ્લિકન રહ્યા હતા, ખરું ને?” “ખેટી વાત ! એ તો બહુ ઊંડી વાત છે, મહેરબાન ! હું જાણું તે ! તેમને લંડ-ચાન્સેલર થયું હતું; રાજાજીએ તેમને તે પદ આપ્યું હોત, તો તે તરત તેમના પક્ષમાં આવી ગયા હોત.” “વાહ, શી વાત કરે છે ? ઑર્ડ લૅન્યાલ તો બહુ પ્રમાણિક અભિપ્રાયવાળા માણસ ગણાય છે.'' “જાઓ, જાઓ, પ્રમાણિક અભિપ્રાય નામની ચીજ વળી કઈ હોય છે ?" “પણ તે સ્વિટઝર્લેન્ડમાં પરણ્યા હતા, તે વાત જાણે છે ને ?" “હા, કાંઈક કાંઈક જાણું છું.” અને તે લગ્નથી તેમને એક કાયદેસર પુત્ર જન્મ્યા હતા તે વાત ?" હા, પણ એ છોકરો મરી ગયો હતો.” ના, તે જીવે છે.”