________________ ઉમરાવ સભામાં રાજસિંહાસનને જમણે હાથે પ્રિન્સ ઓફ વેલ્સ માટેની ખુરશી હતી. ડાબી બાજુએ રાજવંશી ડયુક માટે ફેલ્ડિંગ-ખુરશીઓ હતી. અને તેમની પાછળ પુખ્ત ઉંમરના ન થયેલા ઉમરાવો માટે પાટલીઓ હતી. તેઓ સભામાં પોતાની બેઠક લઈ શકે નહિ. સિંહાસન અને ઉમરાવોની બેઠકની ત્રણ બાજુની ત્રણ પંક્તિઓ વચ્ચે જે ચોખંડ ભાગ પડે, તેમાં રાજમુદ્રા ભરેલી મોટી શેતરંજ બિછાવેલી હતી. તેમાં સિંહાસનની સામેની બાજુ પાયા અને હાથા તથા પીઠ વિનાની બેઠક “વૂલ-સૅક' ઉપર ચાન્સેલર બેસતો, બીજી વૂલ-ક બેઠક બિશપની પંક્તિઓ સમક્ષ હતી તેના ઉપર કાઉંસિલર ઓફ સ્ટેટ બેસતા - તેમને બેસવાને હક હતો, મત આપવાને નહિ; ડકે-માર્વિસ-અર્લો સામેની ત્રીજી વૂલ-સેક બેઠક ઉપર સેક્રેટરી ઓફ સ્ટેટ બેસતા; વાઈકાઉંટે અને બેરને સામેની બેઠક ઉપર બે કારકુને લખતા - પણ ઘૂંટણિયે પડીને બેસીને નહિ. વચ્ચે એક મોટા ઢાંકેલા ટેબલ ઉપર કાગળો, રજિસ્ટરે અને હિસાબી ચોપડાઓ, મેટા ખડિયાઓ, તથા ચાર ખૂણે ચાર ઊંચી મીણબત્તીઓ રહેતી. પાર્લમેન્ટની બેઠક માત્ર દર સાત વર્ષે ફરજિયાત ભરવી પડતી. ઉમરા બંધબારણે ખાનગીમાં વિચારણા કરતા; કૉમન્સને જાહેરમાં બેઠક ભરવી પડતી. ઉમરાવોની સં યા અનિયત હતી. રાજા ગમે તેટલા ઉમરાવો ઊભા કરી શકતો. અઢારમાં સૈકાના પ્રારંભકાળે ઉમરાવ-સભામાં સભ્યોની સંખ્યા ઘણી મોટી થઈ ગઈ હતી. એલિઝાબેથે 65 રહેવા દીધા હતા. જેમ્સ બીજાએ તે સંખ્યા વધારીને 188 કરી દીધી. રાણી એનના વખતમાં બિશપે સાથે ઉમરાની સંખ્યા 207 થઈ હતી.