________________ ઉસંસ નારો માણસ તમને બોલાવે તે શું થાય, એવા એવા શુકન-અપશુકન પણ તે બતાવતે. ઉર્સસ રોગ મટાડઃ વૈદ્ય ડ્રોવાથી કે વૈદ્ય હોવા છતાં તે કોણ જાણે. જુદી જુદી જાતની વનસ્પતિઓના ગુણદોષ તે જાણતો હતો. જુદા જુદા રોગોના ખાસ નુસખા પણ તેને આવડતા હતા. બળદના, ઘેડાના કેટલાય રોગોની તે દવા કરત. જુદા જુદા છેડવાએમાંથી નર-માદા કોણ હોય છે તે એ જાણતો, અને કયા છેડને ઉપરથી નીચે ચૂંટીએ તે શો ગુણ કરે, અને નીચેથી ઉપર ચૂંટીએ તો શું થાય, એ બધું તેને આવડતું. એક વાર તેને ગાંડા તરીકે કેદ પણ પકડવામાં આવ્યો હતો; પણ પછી તે માત્ર કવિ છે, એવી ખાતરી થતાં તેને છોડી મૂકવામાં આવ્યા હતા. અને વાત પણ ખરી હતી એ જૂની લેટિન ભાષાને જાણકાર - કહો કે, પંડિત હતા. જૂના કવિઓના છંદ પ્રાસ તેને આવડતા હોવાથી તે સાદાં સાદાં સુભાષિતેનાં જોડકણાં બહુ ખૂબીભેર બનાવી જાણતો. આટલા બધા જ્ઞાનના ભારવાળો છેવટે ભૂખે જ મરે ! કહેવતમાં કહ્યું છે કે, “થેંડું ખાઓ પણ વારંવાર ખાઓ.” ઉર્સસ થોડું ખાતો અને તે પણ કેક કેક વાર. આમ તે પેલી શિખામણને અર્થે ભાગ પાળ અને અર્થે અવગણતા. પણ એ વાંક લોકોને હતોઃ તેઓ તેના ખેલ જેવા, ભાષણ સાંભળવા કે દવાઓ ખરીદવા ટોળે ન વળે, તો બીજું શું થાય ? ઉસ જરૂર પડ્યે ફારસો રચતે અને પોતે જ ભજવતો. દવાઓ વેચવામાં એ કોક કોક વાર કામ આવતાં. પણ ઘણે ભાગે તેને પિતાની જાતને સંભળાવતા હોય તેમ એકલા એકલા વાત કરવાની વિશેષ ટેવ હતી. એકલા રહેનારને એ વસ્તુ સ્વાભાવિક છે. હૃદયમાં ભરાયેલો શબ્દ ખંજવાળ ઊભી કરે છે; બોલી નાખવાથી તે